SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ O કૂર્માપુત્રચરિત્ર ૧૩૧. કારણ કે તેણે પૂર્વભવમાં લાંબા સમય સુધી ચારિત્રને સુંદર રીતે પાળ્યું હતું, તેથી યુવાનીમાં પણ તેને વિષયોથી વૈરાગ્ય થયેલ છે. છે કૂર્માપુત્રને કેવલજ્ઞાન થયું જુઓ ભાવધર્મનો પ્રભાવ // ૧૩૨. કોઈક દિવસે (તેના નગરમાં) મુનિઓ (પધાર્યા હતા. તેઓ) ના સ્વાધ્યાય દરમિયાન શ્રુતને સાંભળતાં કુમારને પોતાના પૂર્વભવનું સ્પષ્ટ જ્ઞાન થયું. ૧૩૩-૧૩૪. પૂર્વભવમાં પાળેલા સાધુધર્મની સ્મૃતિથી સાધુધર્મનાં ગુણથી આ ભવમાં સંસારની અસારતાને જાણતા તે કૂર્માપુત્રકુમાર (ગૃહસ્થ વેષમાં જ) ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા, શુક્લધ્યાન પામ્યા, ધ્યાન-પાવકથી દુઃસહ કર્મ-ઇન્વનનું દહન કરતાં કરતાં ઉજ્જવળ એવું કેવલજ્ઞાન પામ્યા. ૧૩૫. હવે કૂર્માપુત્રે જોયું કે જો હું મુનિવેષ સ્વીકારીશ તો પુત્રવિયોગનાં દુઃખથી માતા-પિતાનું મરણ થશે. ૧૩૬.એટલે કેવલલક્ષ્મી પ્રાપ્ત થવા છતાં પણ કૂર્મપુત્ર, માતા-પિતાના ઉપરોધથી ભાવચારિત્રી થઈને ઘરમાં જ રહ્યા. ૧૩૭. કૂર્માપુત્ર સમાન માતૃભક્ત-પિતૃભક્ત કોણ હશે ? કે જે કેવલજ્ઞાની થયા પછી પણ માત્રને માત્ર માતા-પિતા પ્રત્યેની “અનુકંપાને કારણે જ ઘરમાં રહ્યા છે. ૧૩૮. કુર્માપુત્ર કેવલીને ધન્ય છે કે કેવલજ્ઞાન પામ્યા છતાં–માતા પિતાને બોધ પમાડવા માટે “પોતે કેવલ પામ્યા છે' તેવી ખબર કોઈને ન પડે એ રીતે ઘરમાં રહ્યા છે. ૧૩૯, ગૃહવાસમાં રહેવા છતાં કૂર્માપુત્રને જે અનંત એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તે ખરેખર ભાવધર્મનો જ પ્રભાવ છે. ૧૪૦. ભરત મહારાજા ચક્રવર્તી હોવાથી, તેવા પ્રકારનાં ચક્રવર્તીને યોગ્ય-અન્તઃપુર(ની રાણીઓ સાથે વિષયવિલાસ)માં મગ્ન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002556
Book TitleSirikummaputtachariam
Original Sutra AuthorJinmanikyavijay
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages194
LanguageSanskrit, Hindi, Gujarati, English
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy