SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આ જગડૂચરિતમહાકાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગqશાહનું ચરિત્ર આલેખાયું છે. આ લઘુકાવ્યમાં સાત સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. આ કાવ્યમાં અનેક વૈવિધ્યસભર છંદો હોવાથી આ કાવ્યમાં મહાચરિતના લક્ષણો સંગત થઈ શકે છે. દરેક સર્ગને અંતે શ્રીહૂરિને માથે પ્રથમ - દિતિયઃ સ. એમ આવે છે. આ કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેમની પરોપકારિતાનું વર્ણન છે. આમાં અનેક ઐતિહાસિક પ્રસંગો પણ આપેલ છે. આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી મળે છે : સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તેમાં વિસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું. ૨. સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વિસલદેવનું, માલવામાં મદનવર્માનું, દિલ્હીમાં મોજદ્દીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં પ્રતાપસિંહનું શાસન હતું. ૩. પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણ પ્રસાદનો સમકાલીન હતો. -- - - -- -- - --- ૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઈતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬ તથા જૈ. સા. સં. ઈતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સંપા. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002555
Book TitleJagducharitam Mahakavyam
Original Sutra AuthorSarvanandsuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages172
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy