________________
ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ...!!
આ જગડૂચરિતમહાકાવ્ય એક ઐતિહાસિક મહાકાવ્ય છે. આ ચરિત્રના નાયક જગડૂશાહ એક શ્રીમાળી શ્રાવક વણિકુ વેપારી છે. જેમણે સં. ૧૩૧૫ના દુષ્કાળમાં લોકોને અન્નદાન આપીને મોટી ખ્યાતિ મેળવેલ છે.
આ જગડૂચરિતમહાકાવ્યની રચના પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય આચાર્યભગવંત શ્રીમજિયસર્વાણંદસૂરિમહારાજાએ કરેલ છે. આ જગડૂચરિતમહાકાવ્યમાં સાત સર્ગ અને ૩૮૮ શ્લોકો છે. મહાકાવ્યનાં લક્ષણો આ ચરિતમાં જોવા મળે છે.
આ જગડૂચરિતમહાકાવ્યના પૂર્વના પ્રકાશનો રા. મ. દ. ખખ્ખર દ્વારા સંપાદિત ઈ. સ. ૧૮૯૬માં ભાષાંતર સહિત મુંબઈથી પ્રકાશિત થયેલ છે અને હર્ષપુષ્યામૃતગ્રંથમાળાથી ઈ.સ. ૧૯૮૨માં ચરિત્રગ્રંથ પ્રકાશિત થયેલ છે. તે બંને પ્રકાશનોની નકલો પ્રાપ્ત થયેલ છે, તેમાં રા. મ. દ. ખખ્ખરનું પુસ્તક તો અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં કોબા શ્રીકૈલાસસાગર-જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે, એ પ્રમાણે સાધ્વીશ્રીચંદનબાલાશ્રીએ મને જાણ કરી તેથી મને થયું કે, જગડૂચરિતમહાકાવ્ય ભાષાંતર સહિત પ્રકાશિત થયેલ છે તો આનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org