SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પૂર્વપ્રકાશન અંગે - મુનિવર ગુણપાલવિરચિત પ્રાકૃતભાષાનિબદ્ધ આ “જંબુચરિયમ્' રાજસ્થાન રાજય અંતર્ગત જેસલમેરદુર્ગમાં રહેલ પ્રાચીન જૈનગ્રંથભાંડાગારમાંથી પ્રાપ્ત થયેલ એકમાત્ર તાડપત્રીય પુસ્તકના આધારથી આની પ્રતિલિપિ કરાવીને આચાર્ય જિનવિજયમુનિએ સંપાદન-સંશોધન કરીને તૈયાર કરેલ આ “જંબુચરિયમુ” અધિષ્ઠાતા-સિંધીજેનશાસ્ત્રવિદ્યાપીઠ-ભારતીયવિદ્યાભવન-મુંબઈથી વિ. સં. ૨૦૧૪, ઈ. સ. ૧૯૫૯માં આની પ્રથમવૃત્તિ ગ્રન્થાંક-૪૪ તરીકે પ્રકાશિત કરવામાં આવેલ છે. મુનિ જિનવિજય પોતાની પ્રસ્તાવનામાં જણાવે છે કે આ ગ્રંથની પ્રતિલિપિ અમે જેસલમેરના પોતાના ભંડાર નિરીક્ષણનો સમય [સન્ ૧૯૪૩ના પ્રારંભમાં] કરાવેલી પરંતુ પ્રેસકોપીનું મૂળની સાથે સારી રીતે મેળવવાનું થઈ શકેલ નહિ, તેથી આ ગ્રંથની કોપીમાં કોઈ કોઈ અશુદ્ધિઓ રહી ગયેલ, ફરી આ પ્રેસકોપીને પ્રેસમાં છપાવવા આપી ત્યારે મૂળ તાડપત્રની સાથે મેળવવાનો અવસર મળ્યો નહિ, તેથી ગ્રંથમાં જે અશુદ્ધિઓ રહી ગઈ તેનું શુદ્ધિપત્ર અંતમાં આપેલું છે. પાઠકગણ આ શુદ્ધિપત્રનો ઉપયોગ કરે. આ શુદ્ધિપત્રને બનાવવામાં પ્રાકૃત ભાષાના વિશેષજ્ઞ પંડિત અને પ્રાચીન ગ્રંથોની પ્રતિલિપિ કરવામાં બહુકુશળ પ્રતિલેખક પાટણનિવાસી પંડિતશ્રી અમૃતલાલ મોહનલાલે યથેષ્ટ શ્રમ કરેલ છે, તેથી અમે તેમના પ્રત્યે અમારો કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. નવીનસંસ્કરણ અંગે – આ નવીનસંસ્કરણના સંપાદનકાર્યમાં હું તો માત્ર નિમિત્તરૂપ છું ખાસ તો મુનિ જિનવિજયે એક માત્ર તાડપત્રીય ઉપરથી અથાક પરિશ્રમ કરી આ ગ્રંથ સંપાદિત કરેલ છે અને સિંઘીજૈનશાસ્ત્રવિદ્યાપીઠ આ ગ્રંથ પ્રકાશિત કરેલ છે તેઓ શતશઃ સાધુવાદને પાત્ર છે. આ જંબુચરિયમ્'ની પ્રથમવૃત્તિ અત્યંત જીર્ણ થયેલી હોવાથી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજની શુભપ્રેરણાથી આના નવીનસંસ્કરણનું કાર્ય કરવાનું હાથમાં લીધું. આ નવીનસંસ્કરણમાં અમે પ્રથમવૃત્તિમાં પંડિતઅમૃતલાલ મોહનલાલે તૈયાર કરેલ શુદ્ધિપત્રક પૃષ્ઠ નંબર ૨૦૧થી ૨૧૪ના પાઠોની શુદ્ધિ મૂળગ્રંથમાં કરીને શુદ્ધપાઠ લીધેલ છે તેમજ ૧થી ૭ નવા પરિશિષ્ટો તૈયાર કરેલ છે. તેમ જ યથાશક્ય શુદ્ધિકરણ પૂર્વકનું કાર્ય કરવા માટે પરિશ્રમ કરેલ છે, આમ છતાં પણ મુદ્રણાદિદોષથી કે દૃષ્ટિદોષથી કે અનાભોગથી જે કોઈ ક્ષતિઓ રહી ગયેલ હોય તેનું મિચ્છા મિ દુક્કડ આપવા પૂર્વક વાચકવર્ગ તેનું પરિમાર્જન કરીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy