SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ અભિલાષ, જંબૂકુમારે કરેલ જિનવરેન્દ્રવર્તમાન સ્વામીની સ્તુતિ, અનાદતદેવે કરેલ જંબૂકુમારની સ્નાનવિધિનું વર્ણન, ગુણશિલનામના ચૈત્યમાં જંબૂકુમારના ગમનનું વર્ણન, બૂસ્વામીની દીક્ષાનું વર્ણન સુધર્મગણધરની હિતશિક્ષા, આર્યસુધર્માસ્વામીનું નિર્વાણ, જંબૂસ્વામીને કેવલજ્ઞાનપ્રાપ્તિનું વર્ણન, જંબુસ્વામીએ આપેલ ધર્મદેશના, જંબુસ્વામીનું નિર્વાણ, ચરિત્રસમાપ્તિ, ગ્રંથકારની પ્રશસ્તિ, ગ્રંથકારે કરેલ વંદનીય પુરુષોને વંદના, આશીર્વાદ વગેરેનું નિરૂપણ કરવામાં આવેલ છે. કર્તા અને રચનાકાળ : આ “જંબુચરિયમ્'ના કર્તા નાઈલગચ્છના ગુણપાલમુનિ છે. તેઓ પરમપૂજય વીરભદ્રસૂરિમહારાજના પ્રશિષ્ય અને પરમપૂજય પ્રદ્યુમ્નસૂરિ મહારાજના શિષ્ય છે. સંભવતઃ કુવલયમાલાના કર્તા પરમપૂજ્ય ઉદ્યોતનસૂરિ મહારાજના સિદ્ધાંતગુરુ વિરભદ્રાચાર્ય અને ગુણપાલમુનિના દાદાગુરુ વીરભદ્રસૂરિમહારાજ બંને એક છે. કૃતિની શૈલિઉપર પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજની સમરાઇશ્ચકહા અને પરમપૂજ્ય ઉદ્યોતનસૂરિ મહારાજની કુવલયમાલાનો પ્રભાવ દેખાય છે. ઉક્ત કથાઓની જેમ જ આ કૃતિ પણ ગદ્યપદ્યમિશ્રિત છે. કર્તાના તેમ જ કૃતિના કાળના સંબંધમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી મળતો પરંતુ રચનાશૈલી વગેરે ઉપરથી અનુમાન થાય છે કે ૧૦-૧૧મી સદી આસપાસની આ રચના હોવી જોઈએ. આની એક તાડપત્રીય હસ્તપ્રત જેસલમેર જૈન ભંડારમાંથી મળે છે, તે ૧૪મી સદી પહેલાની છે. કર્તાની અન્યકૃતિ : પરમપૂજય ગુણપાલમુનિની અન્ય કૃતિ ઇસિદત્તાચરિય (ઋષિદત્તાચરિત્ર) છે. આ અંગે જૈ.બુ.સા.ઇતિહાસ ગુજરાતી આવૃત્તિ પેજ નં. ૩૪૬ ઉપર જણાવેલ છે કે આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે, તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાત્ર છે. તેની રચના નાઈલકુલના ગુણપાલમુનિએ ઇસિદત્તાચરિય (ઋષિદત્તાચરિત્ર)ની પ્રાચીન પ્રતિ સં. ૧૨૬૪ યા ૧૨૮૮ની મળે છે. તે ઉપરથી નિશ્ચિત થાય છે કે કૃતિ તે પહેલાંની રચના છે. ગુણપાલમુનિનો સમય પણ ૯-૧૦મી સદીની વચ્ચેનો અનુમાનથી નિશ્ચિત કરવામાં આવ્યો છે. ૨. “ઋષિદત્તાચરિયના અંતભાગમાં રૂચ વીરમદ્ભૂરી નાહ્નવં ....[પત્ર ૨૫૪, B]....ઉપર આ પ્રમાણે નાઇલવંશનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. ૩. સં. ૧૨૬૪ (૧૨૮૮)માં ગુણપાલકૃત પ્રાકૃત ઋષિદત્તાચરિતની પ્રત અણહિલવાટકે ભીમદેવના રાજયમાં (કી. ૨, ૯) લખાઈ. [જૈ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પેજ નં. ૨૩૦ | પેરા ૫OO] Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy