SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારસ્મરણ : પ્રસ્તુત નવીન સંસ્કરણ તૈયાર કરવાની પ્રેરણા કરનાર પરમપૂજય પંન્યાસશ્રીવજસેનવિજયમહારાજનો તથા પ્રસ્તુત નવીનસંસ્કરણના પ્રકાશન અંગે શ્રુતભક્તિથી પ્રભાવિત થઈને શ્રતોપાસક પરમપૂજય પ્રવચનપ્રદીપ આચાર્યભગવંત શ્રીપુણ્યપાલસૂરિમહારાજે મુલુંડ-જિનાજ્ઞાઆરાધકશ્વેતામ્બરમૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘને આ ગ્રંથપ્રકાશનમાં લાભ લેવા માટે પ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાથી મુલુંડ જિનાજ્ઞા આરાધકસંઘે પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે તે બદલ પૂજ્ય આચાર્યભગવંતશ્રીનો તથા મારી શ્રુતોપાસનાના કાર્યમાં અનેક પૂજ્ય મહાપુરુષોના શુભાશીર્વાદ પ્રાપ્ત થયા છે તે પરમોપકારી ગુરુભગવંતોનો, મારી સંયમસાધનામાં અને મૃતોપાસનામાં સહાયક બનનાર સૌ કોઈનો આ ગ્રંથપ્રકાશનના સુઅવસરે કૃતજ્ઞભાવે સ્મરણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પ્રાંતે અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે જંબુચરિયમ્' ગ્રંથનું વાંચન કરતાં કરતાં મારા હૈયામાં સંવેગગર્ભિત વૈરાગ્યના ભાવો ઉલ્લસિત થયા છે અને સંવેગના માધુર્યની અનુભૂતિ થઈ છે. એ રીતે સૌ કોઈ મુમુક્ષુ ભવ્યજનોને આ ગ્રંથનું વાચન કરતાં કરતાં સંવેગગર્ભિત વૈરાગ્યના ભાવો ઉલ્લસિત થાય અને સંવેગના માધુર્યની અનુભૂતિ થાય અને ભવનિર્વેદ પ્રગટ થાય અને સંવેગ-નિર્વેદ દ્વારા અસાર-અસ્થિર સુખોનો ત્યાગ કરીને શાશ્વત-સ્થિર સુખનો આસ્વાદ કરનારા બનીએ અને સાદિ અનંતભાગે જંબુસ્વામીની જેમ સિદ્ધિસ્થાનમાં વાસ કરીએ એ જ શુભભાવના !! એફ-૨ જેઠાભાઈ પાર્ક, - સાધ્વી ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ શ્રાવણ સુદ-૫, વિ.સં. ૨૦૬૫, રવિવાર, તા. ૨૬-૭-૨૦૦૯. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy