SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૫. પાંચમા ઉદ્દેશામાં ભવદત્તના જીવનો દેવભવ પછી મહાવિદેમાં વજ્રદત્તચક્રવર્તીના સાગરદત્તનામના પુત્રરૂપે જન્મ, પ્રથમવર્ષાગમનનું વર્ણન, સાગરદત્તની અનિત્યભાવના, અભયસાગર આચાર્યની ધર્મદેશના, પત્ની સાથે સાગરદત્તની પ્રવ્રજ્યા, ભવદેવના જીવનો દેવભવ પછી મહાવિદેહમાં પદ્મરથરાજાના શિવકુમારનામના પુત્રરૂપે જન્મ, શિવકુમાર અને કનકવતીના પ્રથમદર્શનનું વર્ણન, લગ્ન, સાગરદત્તઆચાર્યની ધર્મદેશના, માતા-પિતાએ દીક્ષાની સંમતિ નહિ આપતાં શિવકુમારનું ભાવશ્રમણપણું, અનશન, સ્વર્ગગમન, ભવદેવના જીવનો બીજી વાર સ્વર્ગગમન પછી ઋષભદત્તશ્રેષ્ઠિના પુત્રપણારૂપે અંતિમકેવલી થવાના છે તે જાણીને ભગવાનની આગળ અનાદતયક્ષનું નૃત્ય, તદ્વિષયક શ્રેણિકરાજાની પૃચ્છા અને ભગવાનનો ઉત્તર, વિદ્યુન્માલીદેવ-દેવી દ્વારા પૂછાયેલ પ્રસન્નચંદ્રકેવલીએ તેઓનું જંબૂકુમારની ભાર્યા થવારૂપે કથન વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવેલ છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં રાજગૃહનગરનું વર્ણન યાવત્ સ્વપ્નવગેરે નિરૂપણપૂર્વક જંબૂકુમારનો જન્મ અને યૌવનનું વર્ણન, સુધર્મસ્વામીનું રાજગૃહમાં આગમન, સુધર્મસ્વામીવડે અપાયેલ ધર્મદેશના, જંબૂકુમારે કરેલ શ્રાવકવ્રતનું ગ્રહણ, જંબૂકુમારે કરેલ આજન્મ બ્રહ્મચર્યનો સ્વીકાર, સર્વવિરતિ માટે વિલંબ કરવાનું કહેનાર માતા-પિતાની સમક્ષ જંબૂકુમારે કહેલ લાવણ્યવતીગણિકામાં અનુરાગી પુરુષનું દૃષ્ટાંત, સર્વવિરતિની અનુજ્ઞા નહિ આપનાર માતાપિતાની આગળ જંબૂકુમારે કહેલ કંચનપુરવાસી પાંચમિત્રોનું ઉદાહરણ, તેમાં વચ્ચે કુંથુજિનના સમવસરણનું વર્ણન, કુંથુજિનની ધર્મદેશના અને વિસ્તારથી કાળના સ્વરૂપનું નિરૂપણ, ફરીથી જંબૂકુમારે કરેલ સંસારની અસારતાનું પ્રતિપાદન વગેરે પ્રસંગોનું નિરૂપણ કરેલ છે. ૭. સાતમા વિવાહપરિમંગલ નામના ઉદ્દેશામાં સર્વત્યાગને અભિમુખ જંબૂકુમા૨નો માતાપિતાના મનના સંતોષની ખાતર લગ્ન કરવાનો સ્વીકાર, પૂર્વે જણાવીને જંબૂકુમારનો બ્રહ્મચર્યપાલનપૂર્વક કન્યા આઠની સાથે વિવાહ, પ્રભવરાજકુમારનું વર્ણન, જંબૂકુમારના આવાસમાં પ્રભવનો પ્રવેશ, જંબૂકુમારના પ્રભાવનું નિરૂપણ વગેરે પ્રસંગોનું વર્ણન કરેલ છે. ૮. આઠમા પ્રભવદત્ત-ઉત્તરઅભિધાન નામના ઉદ્દેશામાં સાંસારિકસુખના ભોગનો ઉપદેશ આપના૨ પ્રભવ સમક્ષ જંબૂકુમારે કહેલ મધુબિંદુ દૃષ્ટાંત, પ્રભવ સમક્ષ સંસારની અસારતાનું વર્ણન કરતા જંબૂકુમારે ક્રમથી કહેલ કુબેરદત્તાદૃષ્ટાંત, પ્રભવે કહેલ પિતૃપિંડકર્મનું નિરાકરણ કરતા જંબૂકુમારે કહેલ સમુદ્રસાર્થવાહના પુત્ર મહેશ્વરદત્તનું દૃષ્ટાંત વગેરે પ્રસંગોનું નિરૂપણ કરેલ છે. Jain Education International. 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy