SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂચરિયમ્ - મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં રચાયેલું આ કાવ્ય ૧૬ ઉદેશામાં વિભક્ત છે. પ્રથમ બે ઉદ્દેશામાં “સમરાઈઐકહાની જેમ કથાઓના ચાર ભેદ-અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા-બતાવી ધર્મકથાને જ કાવ્યનો પ્રતિપાઘ વિષય કહ્યો છે અને ત્રીજા ઉદ્દેશાથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોથા અને પાંચમાં ઉદ્દેશામાં જંબૂસ્વામીના પૂર્વભવોનું આલેખન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં જંબૂકુમારના જન્મ, શિક્ષા, યૌવન વગેરેનું વર્ણન છે. સાતમા ઉદ્દેશામાં જંબૂકુમારની વૈરાગ્ય તરફ ગતિનું તેમ જ માતાપિતાએ તેને સંસારમાં બાંધી રાખવા માટે આઠ કન્યાઓ સાથે કરાવેલા લગ્નનું વર્ણન છે. આગળના ઉદ્દેશામાં તેમણે તેમની પત્નીઓને સંભળાવેલા આખ્યાનો, દૃષ્ટાંતો અને કથાઓ, પ્રભવચોરે પણ તે ઉપદેશોનું સાંભળવું, તે સૌએ સાથે દીક્ષા લેવી, જંબૂકુમારને કેવળજ્ઞાનપ્રાપ્તિ અને તેમનું મોક્ષગમન આ બધી બાબતોનું આલેખન છે. આ કાવ્યમાં કર્તાએ કથાક્રમને એવો તો વ્યવસ્થિત બનાવ્યો છે કે વાચકની જિજ્ઞાસા તથા કુતૂહલ આદિથી અંત સુધી જળવાઈ રહે છે. આ ચરિત્રમાં વર્ણનોનું વૈવિધ્ય છે. આ કાવ્ય પ્રાકૃત ગદ્ય અને પદ્યના સુંદર નમૂના રજૂ કરે છે. કાવ્ય ધાર્મિક કથાનું આદર્શરૂપ રજૂ કરે છે. નાયકને પોતાની વીરતા પ્રગટ કરવાની કોઈ તક જ આવતી નથી. આ કૃતિ પરવર્તી કવિઓનો આદર્શ રહી છે. જંબૂચરિયમ્ વિષયદિગ્દર્શન – ૧. કથાપીઠ નામના પ્રથમ ઉદેશોમાં મંગલ, સજ્જન અને દુર્જનની પ્રકૃતિનું વર્ણન, ચાર પ્રકારની કથાનું વર્ણન અને છ પ્રકારના જીવોનું વર્ણન કરવામાં આવેલ છે. ૨. કથાનિબંધનનામના બીજા ઉદ્દેશામાં મનુષ્યભવ અને સમ્યક્ત્વની દુર્લભતાનો નિર્દેશ, મનુષ્યભવની સાર્થકતાનો ઉપદેશ અને ત્રણ પ્રકારની પર્ષદાનું નિરૂપણ કરવામાં આવેલ છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં મહાવીરપરમાત્માનો રાજગૃહીનગરીમાં ધર્મોપદેશ, શ્રેણિકરાજાનું પરમાત્મા મહાવીર પ્રભુને વંદનાર્થે આગમન, શ્રેણિકરાજાકૃત પ્રસન્નચંદ્રરાજર્ષિસંબંધી પૃચ્છા અને પરમાત્માએ તેનો આપેલો ઉત્તર તેનું વર્ણન કરવામાં આવેલ છે. ૪. ચોથા ઉદ્દેશામાં જંબૂસ્વામીના પ્રથમભવ દેવભવનું વર્ણન, ભવદત્ત અને ભવદેવની પ્રવ્રજયા, ભવદત્તસાધુના સ્વર્ગગમન પછી પોતાની પત્ની નાગિલામાં અનુરક્ત ભવદેવસાધુનું પોતાના ગામમાં આગમન, ભવદેવને નાગિલાએ આપેલ વિસ્તારથી ધર્મની હિતશિક્ષા, નાગિલાએ કહેલ રેવાદિત્યબ્રાહ્મણ અને તેના પુત્રનું ઉદાહરણ, ભવદેવમુનિનું વર્ગગમન વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવેલ છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy