SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય જંબૂસ્વામી ભગવાન મહાવીરના અંતિમ ગણધર તથા જૈનશાસ્ત્રમાન્ય ૨૪ કામદેવોમાં અંતિમ કામદેવ હતા. આ જંબૂસ્વામીનું ચરિત જૈનકવિઓને એટલું બધું રોચક લાગ્યું કે આ જંબૂચરિત ઉપર તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશીભાષાઓમાં ૧૦૦થી વધુ રચનાઓ કરી છે. અહીં કાળક્રમે સંસ્કૃત, પ્રાકૃતમાં ઉપલબ્ધ સામગ્રી તથા સ્વતન્ત્ર કાવ્યોની સૂચી આ પ્રમાણે છે— ૧. સંઘદાસગણિ—[૫-૬ સદી] વસુદેવહિંડીનું કથોત્પત્તિપ્રકરણ [પ્રાકૃત] ૨. ગુણભદ્રાચાર્ય—[લગભગ સન્ ૮૫૦] ઉત્તરપુરાણનું ૭૬મું પર્વ-૨૧૩ શ્લોક [સંસ્કૃત] ૩. જયસિંહસૂરિ–[સન્ ૮૫૮] ધર્મોપદેશમાલાવિવરણમાં સંક્ષિપ્તરૂપે કેટલીક પંક્તિઓ અને જંબૂરિત સાથે સંબંધ ધરાવતી ચાર કથાઓ પ્રકીર્ણરૂપમાં [પ્રાકૃત] ૪. ભદ્રદેવસૂરિ [ ૧૦-૧૧મી સદી] કહાવલી અંતર્ગત [પ્રાકૃત] ૫. ગુણપાલમુનિ—વિ. સં. ૧૦૭૬ પૂર્વે] જંબૂરિય-૧૬ ઉદ્દેશક [પ્રાકૃત] ૬. રત્નપ્રભસૂરિ–વિ. સં. ૧૨૩૮] ઉપદેશમાલા ઉપર વિશેષવૃત્તિ અંતર્ગત [પ્રાકૃત] ૭. જિનસાગરસૂરિ—પ્રતિષ્ઠાસોમ-કરટીકા અંતર્ગત [સંસ્કૃત] ૮. હેમચંદ્રાચાર્ય–[વિ. સં. ૧૨૧૭-૧૨૨૯] પરિશિષ્ટપર્વ-૪ પર્વ [સંસ્કૃત] [ગુણપાલમુનિકૃત જંબૂચિરય અનુસાર] ૯. શ્રીપ્રભસૂરિ—ઉદયસિંહસૂરિવિવૃત્તિ સહ [વિ. સં. ૧૨૫૩] ધર્મવિધિપ્રકરણ અંતર્ગત૧૪૧૧ શ્લોક [પ્રાકૃત] ૧૦. ઉદયપ્રભસૂરિ–[વિ. સં. ૧૨૭૯-૯૦] ધર્માભ્યુદયમહાકાવ્ય ૮ સર્ગ [સંસ્કૃત] ૧૧. જયશેખરસૂરિ–[વિ. સં. ૧૪૩૬] જંબૂસ્વામિચરિત્રકાવ્ય ૬ પ્રકરણ [સંસ્કૃત] ૧. આ સંપાદકીય લખાણમાં જૈ.‰.સા. ઇતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬માંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધૃત કરીને લીધેલ છે. સંપા. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002554
Book TitleJambuchariyam
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages318
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy