SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌલુક્યચૂડામણિ, ગુર્જરધરાધિપતિ, રાજર્ષિ શ્રીકુમારપાળદેવના ભવ્યજનમનોરંજક, લોકોત્તર, પવિત્ર જીવનચરિત્રના વિષયમાં, પૂર્વકાળમાં અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રંથ લખ્યા છે અને આ મહાપુરુષોના અગણિત ગુણસમુદાયનું મુક્તકંઠથી ભક્તિસભર ગુણગાન કરીને પોતાને કૃતાર્થ કરેલ છે અને ભાવી પ્રજાજનોને ભક્તિનો માર્ગ બતાવીને આત્મિકશક્તિને અભ્યદય કરવામાં અત્યંત આલંબન આપેલ છે. ગુજરાતના સુવર્ણયુગના શિખરભૂત ચૌલુક્યનૃપતિ કુમાળપાળનો ઇતિહાસ વિશ્રુત છે. પોતાના સમયમાં બહુશ્રુત વિદ્વાન, સર્વશાસ્ત્રનિષ્ણાત, અનેકાનેકગ્રંથપણેતા, જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાના સદુપદેશથી પ્રતિબદ્ધ થઈને પોતાના રાજજીવનના ઉત્તરકાળમાં જૈનધર્મના બાર અણુવ્રતસ્વરૂપ દેશવિરતિધર્મનો સ્વીકાર કરેલ તેથી એમના તત્કાલીન અને ઉત્તરકાલીન અનેક જૈન વિદ્વાન મહાપુરુષોએ તેમના જીવનવૃત્તને લક્ષ્ય કરીને પ્રાકૃત, સંસ્કૃત અને દેશ્યભાષામાં નાના-મોટા અનેક ગ્રંથ-પ્રબંધ આદિની રચના કરેલ છે. આ બધા ગ્રંથોમાંથી કેટલાક ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને કેટલાક ગ્રંથો હજુ સુધી અપ્રકાશિત છે. ઐતિહાસિક સાધનસામગ્રી આદિની ઉપયોગિતાની દૃષ્ટિથી આ બધા ગ્રંથો મહત્ત્વના અને પ્રસિદ્ધિ પામવા યોગ્ય છે. | મુનિ શ્રીજિનવિજયજીએ આ ગ્રંથની પૂર્વે કુમારપાલપ્રતિબોધ, પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, પુરાતન પ્રબંધસંગ્રહ આદિ ગ્રંથોને સંપાદન-પ્રકાશન કરી આ ચરિત્રવિષયક સામગ્રીને યોગ્યરૂપમાં પ્રકાશિત કરવાનો યથાશક્ય પ્રયત્ન કર્યો છે, અને તે લક્ષ્યાનુસાર આ પ્રસ્તુત કુમારપાલચરિત્રસંગ્રહ નામનો ગ્રંથ પણ સિંઘી જૈન ગ્રંથમાલાના ૪૧મા પુષ્પસ્વરૂપ વિદ્વાનોના કરકમળમાં ઉપસ્થિત કરેલ છે. આ સંગ્રહમાં જે પ્રબંધો અથવા ચરિત્રોનો સંગ્રહ કરેલ છે તેમાંથી પ્રાયઃ ઘણા અપ્રસિદ્ધ અને અજ્ઞાતસ્વરૂપ હતા, આ સંગ્રહગ્રંથ પ્રકાશિત થવાથી ઇતિહાસની અન્વેષણ દૃષ્ટિથી આમાંની કેટલીક એવી વિચારસામગ્રી વિદ્વાનોને ઉપયોગી થયેલ છે. કુમારપાલચરિત્રસંગ્રહની પુસ્તકાકારૂરૂપે આ દ્વિતીયાવૃત્તિ “શ્રતરત્નાકર' થી પ્રકાશિત કરવામાં આવે છે. આ સંગ્રહમાં સંકલિત અને પ્રકાશિત કૃતિઓનો કાંઈક પરિચય આ પ્રમાણે છે. (૧) અજ્ઞાતકર્તક પુરાતન સંક્ષિપ્ત કુમારપાલદેવચરિત આ સંગ્રહનું પહેલું ચરિત્ર અત્યંત સંક્ષિપ્ત અને સારરૂપ છે. મુનિ શ્રીજિનવિજયજીએ પાટણના ભંડારની વિ.સં. ૧૩૮પની લખેલી કાગળની પ્રતિ ઉપરથી આ ચરિત્રનું સંપાદનકાર્ય કરેલ છે. આ ચરિત્રમાં કુમારપાળરાજનું રાજ્યપ્રાપ્તિ પૂર્વેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy