SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલચરિત્રસંગ્રહ દ્વિતીયાવૃત્તિ સંપાદનની વેળાએ માફકથન "सन्त्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः, क्ष्मापस्तु प्रतिबोध्यते यदि परं श्रीहेमसूरेगिरा । उन्मीलन्ति महामहांस्यपि परे लक्षाणि ऋक्षाणि खे; नो राकाशशिनं विना बत भवत्युज्जागर: सागरः ॥ स्वर्गे न क्षितिमण्डले न वडवावक्रे न लेभे स्थिति, त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा दीना दया या चिरम् । चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता, निर्भीका निजमानसौकसि वरे केनोपमीयते सः ॥" - કવિતાની વિશિષ્ટ રચના કરવામાં રસિયા એવા અન્ય સૂરિઓ ઘણા છે, પણ આચાર્ય ભગવંત શ્રીહેમસૂરિની વાણી કે જેનાથી એક રાજા પ્રતિબોધ પામે છે તે અનોખી છે. મોટા પ્રકાશવાળા બીજા તારાઓ લાખો ઊગે છે પણ પૂર્ણિમાના ચંદ્ર વગર સાગર વિશેષ જાગૃત થતો નથી – ઉલ્લાસ પામતો નથી. –એક કવિ-જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ' પૃ. ૫૭ – ત્રિલોકમાં જે એકલી હિતપ્રદ હોય તો તે દયા પણ લાંબા કાળ સુધી વિધુર અને દીન બની સ્વર્ગમાં કે ભૂમંડલપર કે સમુદ્રના મુખમાં સ્થિતિ કરી શકી નહિ-રહી નહિ તેને નિર્ભીક બનાવી ચૌલુક્ય કુમારપાળ રાજાએ પોતાના માનસરૂપી ઉત્તમ સ્થાનમાં પ્રત્યક્ષ આવાસ આપ્યો. આ રાજાને કોની ઉપમા આપવી? – અર્થાત્ તે અનુપમેય છે. અખિલવિદ્યાપારંગત, સકલશાસ્ત્ર નિષ્ણાત, સર્વતંત્ર સ્વતંત્ર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેમના પરમભક્ત, પરમાહત, ધર્માત્મા, અતિદયાળુ, ૧. મુનિ જિનવિજયજીનું વિચિત્ પ્રાસ્તાવિક લખાણ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (લેખક મોહનલાલ દલીચંદ દેસાઈ)નો આધાર લઈને આ પ્રાકથનની સંકલના કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy