SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાગ ૨૩૦. (આ પ્રમાણે) કામગ નથી સમભાવ ઉત્પન્ન કરતા અને નથી '* કરતા વિકૃતિ એટલે કે વિષમતા. જે એમના પ્રતિ દ્વેષ અને મમત્વ રાખે છે તે એમનામાં વિકૃતિને પ્રાપ્ત થાય છે. (૪) સમ્યગદશન-અગ ૨૩૧. સમ્યગ્દર્શનના આ આઠ અંગ છે : નિઃશંકા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા, અમૂઢ દષ્ટી, ઉપગ્રહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. ૨૩૨. સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક હોય છે અને એ કારણે નિર્ભય પણ હોય છે. એ સાત પ્રકારના ભય–આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષા-ભય, અગુપ્તિ-ભય, મૃત્યુ-ભય, વેદનાભય, અને અકસ્માત-ભય–થી રહિત હોય છે એટલા માટે નિઃશંક હોય છે. (અર્થાત્ નિઃશંકતા અને નિર્ભયતા બને એક સાથે રહેનારા ગુણે છે.) ૨૩૩. જે સમસ્ત કર્મફલોમાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્મોમાં કોઈ પણ , પ્રકારની આકાંક્ષા નથી રાખતો એને નિષ્કાંક્ષ-સમ્યગ્દષ્ટિ - એ સમજવું જોઈએ. ૨૩૪. જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહત એ કેઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે કરે ? ૨૩૫. હે યોગી ! અગર જો તું પરલોકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને - પરલોકનું સુખ મળશે ?
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy