SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૨૧૧. સમ્યગ્દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્રગુણ નથી. ચારિત્ર વિના મોક્ષ (કર્મક્ષય) નથી અને મોક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી. ર૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને જોઈને પણ ભાગવામાં અસમર્થ હાઈ બળી મરે છે અને આંધળી વ્યકિત દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હોવાથી બળી મરે છે તેવી રીતે કિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. ૨૧૩. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને બન્નેના પારસ્પરિક સંપ્રયોગથી (વગડામાંથી નીકળી) બને નગરમાં પ્રવિષ્ટ થયાં તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જ ફલ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી રથ ચાલતો નથી. " (X) નિશ્ચયનત્રય સુત્ર . ૨૧૪. જે તમામ નય-પક્ષોથી રહિત છે તે જ સમયસાર છે. એને જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫. સાધુઓએ હમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું પાલન કરવું જોઈએ. નિશ્ચયનયાનુસાર આ ત્રણેયને આત્મા જ સમજો જોઈએ. આ ત્રણેય આત્મસ્વરૂપ જ છે. એટલા માટે નિશ્ચયથી - આત્માનું સેવન જ ઉચિત છે. " ર૧૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજું કાંઈ નથી કરતો તથા નથી કાંઈ છોડતે એને જ નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy