SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૨૦૫. (પુણ્ય પ્રતાપે) દેવ લોકમાં યથાસ્થાન રહીને આયુષ્યક્ષય થયા પછી દેવગણ ત્યાંથી પાછો ફરી મનુષ્યોનિમાં જન્મ લે છે. ત્યાં તે દશાંગ ભેગ-સામગ્રી ભેગવે છે. ૨૦૬.૨૦૭. જીવન પર્યત અનુપમ માનવીય ભોગને ભોગવીને પૂર્વજન્મમાં વિશુદ્ધ એગ્ય ધર્મારાધનને કારણે નિર્મળ બોધિનો અનુભવ કરે છે અને ચાર અંગે (મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, તથા વીર્ય) ને દુર્લભ જાણી એ સંયધર્મનો સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોનો નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે. ૧૭. રત્નત્રયસૂત્ર () વ્યવહાર–રત્નત્રય - ૨૦૮. ધર્મ વગેરે. (છ દ્રવ્ય તથા તત્ત્વાર્થ વગેરે) ની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. અંગસૂત્ર તથા પૂર્વેના જ્ઞાનને સમ્યજ્ઞાન ' , ' કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવું એને સમ્યક ચારિત્ર કહે છે. આને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. ૨૦૯. મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થોને જાણે છે, દર્શનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્માસવનો) નિરોધ કરે છે, : - અને તપથી વિશુદ્ધ બને છે. તે ૨૧૦. (ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિત્ર વિનાનું જ્ઞાન, સમ્યગ્દર્શન વિનાનું મુનિપણું અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy