SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાગ ૧૯૮. (એ નથી જાણતો કે) પરદ્રવ્યમાં પ્રવૃત્ત શુભ પરિણામ પુણ્ય કહેવાય અને અશુભ પરિણામ પાપ. (ધર્મ) અનન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુદખાના ક્ષયનું કારણ બને છે. ૧૯. જે પુણ્યની ઈચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે. પુણ્ય સગતિને હેતુ (જરૂર) છે, પરંતુ નિર્વાણ તો પુણ્યના ક્ષયથી જ થાય છે. ૨૦૦. અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ જાણે. પરંતુ જેના દ્વારા સંસારમાં પ્રવેશ થાય છેએને સુશીલ કેવી રીતે કહી શકાય ? ૨૦૧. પુરુષને બન્ને બેડીઓ બાંધે છે ભલે પછી એ બેડી સેનાની હોય કે લોખંડની હોય. આ પ્રમાણે જ જીવને એનાં શુભઅશુભ કર્મો બાંધે છે. - ૨૦૨. એટલા માટે (પરમાર્થ દૃષ્ટિએ) અને પ્રકારનાં કર્મોને કુશીલ જાણું એની સાથે ન રાગ કરવો જોઈએ અને ન એનો સંસર્ગ . પણ, કારણ કે કુશીલ (કર્મ) તરફ રાગ અને સંસર્ગ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે. ૨૩. (તો પણ) વ્રત અને તપ વગેરે દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ ઉત્તમ છે. એ ન કરીએ તો નરક વગેરેનું દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી. કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવું એના કરતાં છાંયડામાં ઊભા રહેવું એ ઘણું સારું છે. (આ ન્યાયે લોકમાં પુણ્યની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય). ૨૦૪. (એમાં સંદેહ નથી કે) શુભ ભાવપૂર્વક વિદ્યાધર, દેવ, તથા મનુષ્યની હાથ જોડીને કરેલી સ્તુતિઓ દ્વારા ચકવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષમી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્ય-સંબોધિ પ્રાપ્ત નથી થતી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy