SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્મુખ ૧૪૯. લેકમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે એને , નિર્ચા જાયે કે અજાણ્યું ન હણે અથવા ન હણાવે. ૧૫૦. જેવી રીતે તમને પિતાને દુખ ગમતું નથી એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી– આવું જાણી પૂરા આદર અને સાવધાનીથી, આત્મૌપમ્યની દષ્ટિથી દરેક ઉપર દયા રાખો. ૧૫૧. જીવન વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણું પોતાના ઉપર દયા રાખવા બરાબર છે. એટલા માટે આત્મહિતૈષી (આત્મકામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કર્યો છે. ૧૫ર. જેને તું હણવા યોગ્ય માને છે તે તે પોતે જ છો. જેને તું આજ્ઞામાં રાખવા ગ્ય માને છે તે પણ તે પોતે જ છો. ૧૫૩. જિનેશ્વરદેવે કહ્યું છે – રાગ વગેરેની અનુત્પત્તિ અહિંસા છે અને એની ઉત્પત્તિ હિંસા છે. ૧૫૪. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે – ભલે પછી કોઈ જીવ મરે કે ન મરે. નિશ્ચયનયને અનુસારે જીના કર્મબંધનું ટૂંકામાં આ જ સ્વરૂપ છે. ૧૫૫. હિંસા કરતાં હિંસાનો ભાવ-વિચાર જ પરિણામ એ જ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy