SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જોતિર્મુખ પ૭. જે સમયે જીવ જેવો ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. ૫૮. (પ્રમત્ત મનુષ્ય) શરીર અને વાણીથી મત્ત બને છે તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે. અળસીયું જેવી રીતે મુખ અને શરીર–બને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (પૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ બન્ને વડે કર્મમલને સંચય કરે છે. ૫૮. જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુઓ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એકલે પોતે જ દુઃખનો અનુભવ કરે છે કારણ કે કર્મ એના કરનારની પાછળ પાછળ જાય છે. ૬૦. જેવી રીતે કઈ પુરુષ ઝાડ ઉપર ચડતી વખતે વવશ હોય છે. પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી નીચે પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. તેવી રીતે જીવ સ્વવશપણે કર્મ કરે છે પણ કર્મના ઉદય વખતે એને (કર્મ) ભોગવવાં પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. ૬૧. જેવી રીતે ક્યારેક (કરજે દ્રવ્ય આપતી વખતે) ધનિક બળવાન ન હોય છે તો વળી કયારેક (કરજ ભરપાઈ કરતી વખતે) કરજ દાર બળવાન હોય છે. તેવી રીતે કયારેક જીવ કર્મને અધીન હોય છે તો વળી કયારેક કર્મ જીવને અધીન હોય છે. ૬૨. સામાન્યની અપેક્ષાએ કર્મ એક છે અને દ્રવ્ય તથા ભાવની . અપેક્ષાએ બે (પ્રકારનાં) છે. કર્મના પુણના પિંડને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એના નિમિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષરૂપી વિકારોને ભાવ કર્મ કહે છે. . ઈદ્રિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપગમય (જ્ઞાન-દર્શન મય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મ બંધન નથી. માટે, પૌગલિક પ્રાણ એની પાછળ પાછળ કેવી રીતે જઈ શકે. (અર્થાત્ એને નવો જન્મ લેવો પડતો નથી.)
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy