SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્મુખ ૩૮. (પરંતુ) જેવી રીતે અનાર્ય ભાષા વિના અનાર્ય પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાર્થને દેશ અસંભવિત છે. ૩૯. વ્યવહાર અભૂતાર્થ (અસત્યાર્થી છે અને નિશ્ચય ભૂતાર્થ (સત્યાર્થી છે. ભૂતાઈને આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ * હોય છે. ૪૦, નિશ્ચયનું અવલંબન કરનાર કોઈક જીવો નિશ્ચયને નિશ્ચય પૂર્વક નહિ જાણવાને કારણે બાહ્ય આચરણમાં આળસુ અને સ્વચ્છંદી બની ચરણ-કરણ (આચાર-ક્રિયા)ને નાશ કરી નાખે છે. ૪૧. (આવા જીવોના સંબંધમાં આચાર્ય કહે છે કે ) પરમ ભાવના દ્રષ્ટા જીવોની મારફત શુદ્ધ વસ્તુનું કથન કરાવનાર - શુદ્ધ નય જ જાણવા લાયક છે. પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહારનય દ્વારા જ ઉપદેશ કરવો ઉચિત છે. ૪૨. કયે શ્રમણ કયા ભાવમાં સ્થિત છે એ નિશ્ચયપૂર્વક . જાણવું કઠણ છે. એટલે જે પૂર્વ ચારિત્ર્યમાં સ્થિત છે તેમનું કૃતિકર્મ (વંદના) વ્યવહારનયની મારફત ચાલે છે. ૪૩. એટલા માટે (સમજવું જોઈએ કે) પોતપોતાના પક્ષને ' આગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી. * વાળે છે. ૪૪. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ)ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy