SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. નિરૂપણસૂત્ર ૩૨. પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ બોધ નથી કરતો તેને અયુક્ત યુક્ત જેવું અને યુક્ત અયુક્ત જેવું જણાય છે. ૩૩. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવામાં આવે છે. જાણવાના ઉપાયોને નિક્ષેપ કહે છે. આ પ્રમાણે યુક્તિપૂર્વક અર્થને ગ્રહણ કરવા જોઈએ. ૩૪. નિશ્ચય અને વ્યવહાર– આ બે નય બધા નયનાં મૂલ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને નિશ્ચય-સાધનના હેતુરૂપ જાણવા. . ૩૫. અખંડ વસ્તુના વિવિધ ધર્મોમાં કિંચિત ભેદને જે ઉપચાર કરે તે વ્યવહાર નય અને જે આ પ્રમાણે નથી કરતે અર્થાત્ અખંડ પદાર્થનો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય. ૩૬. જ્ઞાનીને ચરિત્ર છે, દર્શન છે અને જ્ઞાન છે એમ વ્યવહાર નય કહે જ્યારે નિશ્ચયનય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દર્શન. જ્ઞાની તો શુદ્ધ જ્ઞાયક છે. ૩૭. આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચયનય દ્વારા વ્યવહારનયને પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચયનયને આશ્રય લેનાર મુનિજન જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. - ૧૩ -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy