SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ २२३ ૬૯૧. નય વિના મનુષ્યને સ્વાદવાદને બાધ નથી થતો. એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહનો ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જાણ જોઈએ. ૬૯૨. જેવી રીતે ધર્મ વિહોણે મનુષ્ય સુખ ઈચ્છે છે અથવા કોઈ પાણી વિના પિતાની તરસ છિપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપનો નિશ્ચય કરવા માગે છે. ૬૯૩. તીર્થકરોનાં વચનના પ્રકાર બે છે– સામાન્ય અને વિશેષ. બન્ને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂલ પ્રતિપાદક નય પણ બે જ છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બાકીના બધા ન આ બેના જ અવાંતર ભેદો છે. (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને અને પર્યાયાર્થિક વિશેષાંશનો પ્રતિપાદક છે). ૬૪. દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે અને પર્યાયાર્થિક નયની વિષય• ભૂત વસ્તુ (વિશેષાંશ) વ્યાર્થિક નયને માટે અવસ્તુ છે. ૬૫. પર્યાયાંર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક ઉત્પન્ન * થાય છે અને નષ્ટ થાય છે. અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ અનુસાર તમામ પદાર્થો સદેવ અનુત્પન્ન અને અવિનાશી છે. ૬૯૬. દ્રવ્યાર્થિક નયને હિસાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયાનુસાર એ અન્ય-અન્ય છે. કારણ કે જે સમયે જે નયથી વસ્તુ જેવામાં આવે એ સમયે એ વસ્તુ રૂપે જ દષ્ટિગોચર થાય છે. ૬૯૭. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવી લોકમાં દ્રવ્યને જ ગ્રહણ કરે છે એને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. તથા જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ કરે છે તેને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy