SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ ૨૧૭ ૬૭૩. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છોડી સ્યાદ્વાદમય વચનનો ઉપયોગ કરે. ધર્માચરણમાં પ્રવૃત્ત સાધુઓ સાથે વિચરણ કરતો થકો સત્ય ભાષા અને અનુભય (જે ન હોય સત્ય કે ન હોય અસત્ય) ભાષાનો ઉપયોગ કરે. ધનવાન અથવા નિર્ધનનો ભેદ પાડ્યા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે. ૩૮. પ્રમાણસૂત્ર (મ) પંચવિધ જ્ઞાન ૬૭૪. સંશય, વિમોહ (વિપર્યય) અને વિભ્રમ (અન ધ્યવસાય) –આ ત્રણ મિથ્યાજ્ઞાનોથી રહિત પોતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમ્યજ્ઞાન કહેવાય. આ વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરાવે છે તેથી જ એને સાકાર અર્થાત્ સવિકલ્પક (નિશ્ચયાત્મક) કહે છે. આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે–આભિનિઓધિક અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મંતિ, શ્રત, અવધિ, મન:પર્યાય, અને કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષિાયોપથમિક છે અને કેવળ જ્ઞાન ક્ષાયિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે ચાર જ્ઞાન અપૂર્ણ છે અને સમસ્ત કર્મોનો ક્ષયને કારણે પાંચમું કેવળ જ્ઞાન પરિપૂર્ણ છે.) ૬૭૭. ઈહા, અપહ, મીમાંસા, માણા, ગવેષણા, સંજ્ઞા, શક્તિ, મતિ અને પ્રજ્ઞા –આ બધા આભિનિબાધિક અથવા મતિજ્ઞાન કહેવાય છે. ૬૭૮. (અનુમાન અથવા લિંગજ્ઞાનની માફક) અર્થને (શબ્દ) જાણ એના ઉપરથી અર્થાતર (વાચ્યાર્થીને ગ્રહણ કરે એનું નામ કૃતજ્ઞાન. આ જ્ઞાન નિયમપૂર્વક આભિનિબેધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના બે ભેદ છે– લિંગજન્ય અને શબ્દજન્ય. (ધૂમાડો દેખી થનારું અગ્નિનું જ્ઞાન લિંગજ અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન શબ્દજ.) આગમાં શબ્દજ શ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy