SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૬૧ પ૦૭. જન્મ મૃત્યુ સાથે જોડાયેલું છે અને યૌવન ઘડપણ સાથે. લક્ષમી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભંગુર છે–અનિત્ય છે. ૫૦૮. મહા મેહને તજીને અને તમામ ઇદ્રિને ક્ષણભંગુર જાણી મનને નિર્વિષય બનાવો જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. ૫૦૯. અજ્ઞાની જીવ ધન, પશુ તથા જ્ઞાતિબંધુઓને પિતાનાં રક્ષક અથવા શરણુ આપવા વાળા માને છે એટલે કે એ મારાં છે અને હું એમને છું એમ માને છે. પરંતુ, ખરી રીતે એ બધાં નથી રક્ષક કે નથી શરણરૂપ. ૫૧૦. પરિગ્રહને હું જાણીબૂજીને છોડું છું અને માયા, મિથ્યાત્વ તથા નિદાન-આ ત્રણ શલ્યોને મન, વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મારા માટે . રક્ષક અને શરણ છે. • ૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પોતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિરૂપે ઉત્પન્ન થાય છે એવા આ * સંસારને ફિટકાર હો ! ૫૧૨.. વાળના અગ્ર ભાગ જેટલી પણ આ લોકમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં જીવે અનેકવાર જન્મ, મરણનું કષ્ટ ન ભોગવ્યું હોય. ૫૧૩. અહો ! આ ભવ-સમુદ્ર દુરંત છે એટલે કે એનો અંત ભારે મુકેલીથી આવે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપી અનેક મગરમચ્છ છે અને નિરંતર જન્મરૂપી જળ- . રાશિ છે. ૧૧
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy