SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાર્ગ ૧૫૯ ૫૦૦. તથાગત ભૂત અને ભવિષ્યના અર્થને દેખતા નથી. ક૫ના મુક્ત મહર્ષિ વર્તમાનને દેખે છે. કર્મ શરીરનું શોષણ કરી એ ક્ષીણ કરી નાખે છે. પ૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કઈ ચેષ્ટા ન કર, વાણી વડે કાંઈ પણ ન બેલ, અને મનથી કશું પણ ન વિચાર. આ પ્રમાણે ત્રિગને નિરોધ કરવાથી તું સ્થિર બની જઈશ. તારો આત્મા આમરત થઈ જશે. આ જ પરમ ધ્યાન છે. પ૦૨. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ આત્મધ્યાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, વિષાદ, શાક વગેરે માનસિક દુઃખેથી બાધા પામતો નથી. ૫૦૩. એ ધીર પુરુષ પરીષહ અને ઉપસર્ગથી વિચલિત અને ભયભીત નથી થતો. તથા સૂક્ષ્મ ભાવોમાં અને દેવ નિર્મિત માયાજાળમાં મુગ્ધ નથી થતો.. પ૦૪. વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખતથી એકઠાં કરેલા લાકડાના સમૂહને તત્કાળ બાળી નાખે છે તેવી : રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત કર્મ—ઇંધણને એક ક્ષણમાં • : બાળીને ભસ્મ કરી નાખે છે. ૩૦, અનુપ્રેક્ષાસૂત્ર પ૦૫. મોક્ષાથી સુનિ સૌથી પહેલાં ધર્મધ્યાન દ્વારા પોતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધર્મ-ધ્યાન બાદ પણ હમેશાં અનિત્ય, અશરણ, વગેરે, ભાવનાઓના ચિંતન મનનમાં-મશગૂલ રહે. પ૦૬. અનિત્ય, અશરણ, એકવ, અન્યત્વ. સંસાર, લોક, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, ધર્મ અને બેધિ– આ બાર ભાવનાઓનું ચિંતન-મનન કરવું જોઈએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy