SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ખબર નથી કે એ જ્યોતિ ત્યાં છે, અને એનાથી જ એ પ્રકાશિત છે. આંખો પર આગ્રહનો પાટો બાંધેલ હોય ત્યાં સુધી વસ્તુ-સ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી. અનેકાન્ત વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાનો ઉષ કરે છે. વિચાર-જગતમાં અહિંસાનું મૂર્તરૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે. આજે જન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે મહાવીર ભગવાનની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવર્તી રહ્યું છે. મહાવીર ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા. જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુઃખ-મુક્તિ ભણી લઈ જાય છે. જ્ઞાનહીન કર્મ અને કર્મહીન જ્ઞાન બન્ને વ્યર્થ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે. વસ્તુ સ્વભાવ ધમ - “વષ્ણુ સહાવો ધમ્મ વસ્તુને સ્વભાવ જ ધર્મ છે– આ વાત જૈન દર્શનની સૌથી મહત્વપૂર્ણ દેણ છે. સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવ પ્રમાણે વરસી રહ્યો છે. એનું અસ્તિત્વ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુકત છે. પદાર્થ જડ હો યા ચેતન, પોતાના સ્વભાવમાંથી હટતો નથી. સત્તાના રૂપમાં એ સદેવ સ્થિત ન હોય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સંપૂર્ણ જન-દર્શન ઊભું છે. અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. : પદ્રવ્યોની સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક અનાદિ અનન્ત છે, એનો કર્તા ધર્તા કે નિર્માતા કોઈ વ્યક્તિ-વિશેષ અથવા શક્તિ-વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તો સમાજમાં વિષમતા, વગભેદ, વર્ણભેદ વગેરેનું સ્થાન રહેતું નથી. આવી હાલતમાં વ્યવહાર-જગતમાં મહાવીર જેવા વીતરાગ તત્ત્વદશી એમ જ કહે કે સમભાવ એ જ અહિંસા છે અને મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે; સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તો અનુભવમાં વસે છે; બ્રહ્મની ચર્ચા એ જ બહાચર્ય; કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર. ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પિથી બચાવી શકતાં ૧૫
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy