SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ રહ્યો છે. માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એના ભાવોમાં અહિંસા છે અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હોતી તેના ભાવમાં હિંસા છે, આમ એ હિંસા ન કરતી હોય તો પણ હિંસક છે. આ બધું પૃથકકરણ અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી. તેથી જેને અનેકાન્ત દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ્દષ્ટિવાળે મનાય છે. અને સમ્યગ્દષ્ટિવાળો જ સમ્યગ્ગાની તથા સમ્યક ચારિત્રશીલ હોઈ શકે. જેની દૃષ્ટિ સમ્યક નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. આને જ લીધે જેનમાર્ગમાં સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શનનું મહત્ત્વ વિશેષ માન્યું છે. મેક્ષમાર્ગનો પણ એ જ પાય છે. સંસાર એક બંધન છે. જીવ અનાદિકાળથી એમાં પડે છે. એ પોતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જે પોતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે ભ્રમ છે તે જ એના બંધનનું કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે ચડે છે ત્યારે જ એની દૃષ્ટિ પોતાના સ્વરૂપ ભણી જાય છે. ત્યારે એને સમજાય છે કે હું તો ચિતન્ય શક્તિ-સંપન્ન છું; ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શકિત એ મારું ચિતન્ય છે. એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિનો ભંડાર છે. એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યક્ આચાર દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મનો આચારમાર્ગ સમ્યજ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમાર્ગ છે. અનેકાન્ત આ વિશાળ લેકમાં દેહધારી વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાંગી હોય છે. વસ્તુના અનન્ત ગુણોનો સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, એને વ્યક્ત કરવાની વાત તો આઘી જ રહી. ભાષાની અશક્તિ અને શબ્દના અર્થની મર્યાદા જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને અહમ એમાં ઉમેરો કરે છે; જ્યારે અનેકાન્ત સમન્વયનો અને વિરોધપરિહારને માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યનો અંશ સમજીએ તો વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પોતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણાને આગ્રહ નથી હોતો એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠોને સારી રીતે ઉકેલી શકે છે. આમ તો દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે; પણ એને - ૧૪
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy