SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૧૪૫ ૪૫૨. ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકારી, વીરાસનાદિ ઉગ્ર આસનને અભ્યાસ કરવો અથવા એ આસનોને ધારણ કરવાં તેને કાયકલેશ નામનું તપ કહે છે. ૪૫૩. સુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે. એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાયકલેશપૂર્વક આત્મચિંતન કરવું જોઈએ. ૪૫૪-૪૫૫. રોગની ચિકિત્સાને હેતુ રોગીનું કેવળ સુખ કે રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રોગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહના ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. (કાયકલેશ તપમાં સાધકને શરીરગત દુઃખ અથવા બાહ્ય રોગોને સહન કરવા પડે છે. પરંતુ એ મેહક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી.) (ગ) આત્યંતર તપ ૪પ૬. પ્રાયશ્ચિત્ત, વિનય,વિયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, (કાર્યોત્સર્ગ) આ પ્રમાણે આત્યંતર તપ છ પ્રકારનું છે. ૪૫૭. વ્રત, સમિતિ, શીલ, સંયમ પરિણામ તથા ઇન્દ્રિય નિગ્રહનો ભાવ –આ બધું પ્રાયશ્ચિત્ત તપ છે જે નિરંતર કર્તવ્યનિત્યકરણીય છે. ૪૫૮. ક્રોધ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ વગેરેની ભાવના કરવી અગર નિજગુણોનું ચિંતન કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત-તપ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy