SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ એક્ષમાગ ૧૦૯ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકૂળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુશ્રાવક ભેજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે વાસ્તવમાં તેનું જ ભોજન કર્યું સાર્થક થાય છે. જિનેપદિષ્ટ સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મોક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત કરે છે. ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત ની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભય–દાન બધાં દાનમાં શિરોમણિ સમાન છે. ' ૨૪, શ્રમણધમ સૂત્ર () સમતા * ૩૩૬. શ્રમણ, સંચત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અનગાર, ભદંત,–આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. (૩૩૭. પરમપદની પ્રાપ્તિ માટે નિરત સાધુ સિંહ જેવા પ્રરાક્રમી, હાથી જેવા સ્વાભિમાની, વૃષભ જેવા ભદ્ર, મૃગ જેવા સરળ, પશુ જેવા નિરીહ, વાયુ જેવા નિત્સંગ, સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર, મેરુ જેવા નિશ્ચલ, ચંદ્ર જેવા શીતળ, મણિ જેવા કાંતિમાન, પૃથ્વી જેવા સહિષ્ણુ, સર્પ જેવા અનિયત આસ્થી (જેનું આશ્રય કરવાનું અનિયત–અચોકકસ છે), તથા આકાશ જેવા નિરવલબ (અવલંબન વિનાના હોય છે.) ૩૩૮. (પરંતુ) એવા પણ ઘણા અસાધુઓ છે જેમને સંસારમાં સાધુ કહેવામાં આવે છે. (પરંતુ ) અસાધુને સાધુ ન કહેવા , સાધુને જ સાધુ કહેવા જોઈએ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy