SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનતા કઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હોવા માત્રથી એ શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું. પણ જે કઈ ધાર્મિક-પરંપરા પુરાણી હોય, અને દીર્ઘ કાળ સુધી એ સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લોકેન્નતિમાં, નૈતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં પ્રબળ પ્રેરક તેમ જ સહાયક નીવડી હોય તો એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાવકાલિક અને સાર્વભૌમિક તત્ત્વો રહેલાં છે. જૈન ધર્મ આચાર અને વિચાર અને દૃષ્ટિએ બહુ પુરાણો ધર્મ છે. ઇતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહોતા. એમના પહેલાં બીજા પણ તીર્થકર થઈ ગયા હતા, એમણે જૈન ધર્મની પુનસ્થપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી. એ ખરું કે જૈનધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોંચ્યા નથી. આમ છતાં જે પુરાતાત્ત્વિક અને સાહિત્યિક તથ્યો પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિશ્લેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિઓ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિય વિષે સર્વેદ, શ્રીમદ્ ભાગવત આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં સંખ્યાબંધ ઉલ્લેખે મળી આવે છે. જૈન-ઈતિહાસમાં ત્રેસઠ “શલાકા-પુરુષ”નું વર્ણન આવે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદીર્ઘ કાલખંડમાં આ શલાકા પુરુષો જન્મે છે અને માનવ-સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મનીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે. આ શલાકા-પુરુષોમાં ૨૪ તીર્થકરનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણ કલ્પમાં એના ચતુર્થ કાલખંડમાં જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલા ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. એમને આદિનાથ, આદિબ્રહ્મા, આદીશ્વર વગેરે નામથી ઓળખવામાં આવે છે. સૌથી છેલ્લા તીર્થકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પર થઈ ગયા. તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર સમકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ થઈ ગયા. એ વારાણસીના રજા અશ્વસેનના કુંવર હતા. બૌદ્ધ આગમમાં મહાવીરનો ઉલ્લેખ નિર્ગઠનાતપુત્તના નામે મળે છે, જ્યારે પાઠ્ય પરંપરાનો ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ તરીકે મળે છે. મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરંપરાના પ્રતિનિધિ હતા. આમ જોવા જઈએ તો કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તો ઋષભદેવ પ્રથમ હતા કે ૧૧
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy