SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિ કે આ ગ્રંથ– “સમસ” ની સંકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે– આત્મા અને પરમાત્મા. તસ્વરૂપ આ બે સ્તંભ પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તો વળી કેટલાક નિરીશ્વરવાદી છે. ઈશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિનો કર્તા ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિનો તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતો, પરમપિતા વગેરે નામથી ઓળખે છે. આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે; દુષ્ટનો નાશ કરે છે, સૃષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરંપરા . બીજી પરંપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરંપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પિતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાનો સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમપદને પામી શકે છે. એ પોતે જ પોતાને નિયામક અને સંચાલક છે. પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાને શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાંનો સ્વતંત્ર વિજ્ઞાનિક ધર્મ છે. આ જન પરંપરા ટૂંકામાં “શ્રમણ સંસ્કૃતિને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બી વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે. ૧૦
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy