SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું નામ “સમસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી “જૈન-ધર્મ-સાર”નું અધ્યયન થતું રહેશે. છેલ્લાં હજાર દેઢ હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું. એમાં બાબા નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાતરી છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે. હું એ કબૂલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે સત્વગ્રાહી” બનો. આજે તો જે આવ્યો એ “સત્યાગ્રહી” બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતો, પણ બાબા જાણતો હોં કે એ સત્યાગ્રહી નથી, “સત્યગ્રાહી ” છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે અને તેથી માનવ-જન્મ સાર્થક થતો હોય છે, આમ તમામ ધર્મોમાં, તમામ પંથમાં અને તમામ માનામાં જે સત્યનો અંશ છે તેને ગ્રહણ કરવું જોઈએ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી ” એમ કહું છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશેય ફરક દેખાતો નથી. બ્રહ્મવિદ્યામંદિર, પવનાર, વર્ધા, ૨૫-૧૨-૭૪ : ર ર મ ાર हस्ताकार श्री विनोबाजी
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy