SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સ મા ધા ન મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું. મેં જૈનોને કેટલીયે વાર વિનંતિ કરી હતી કે જેમ વિદિક ધર્મના સાર ગીતાના સાતસો શ્લોકમાં મળે છે, બૌદ્ધોનો ધમ્મપદમાં મળે છે તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જોઈએ. પણ જેનો માટે આ અઘરું હતું. કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રંથ છે. બાઈબલ લે કે કુરાન લે, ગમે તેટલે મોટો ગ્રંથ હોય, પણ એક જ છે. પણ જૈનમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ બે ઉપરાંત તેરાપંથી, સ્થાનકવાસી એમ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પંથે છે. અને ગ્રંથો તો વીસ-પચીસ જેટલા છે. મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિએ ભેગા બેસી ચર્ચા કરશે અને જૈનોનો એક ઉત્તમ સર્વમાન્ય ધર્મસાર રજૂ કરો. છેવટે વણજી નામના “પાગલ”ના મનમાં એ વાત વસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન પરિભાષાનો એક કેશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જૈન ધર્મ સાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એની એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનોને પણ મેકલી. એ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જેડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણધર્મ” પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રંથ પર ચર્ચા કરવા માટે એક સંગીતિ મળી. એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાનો અને શ્રાવકો મળી લગભગ ત્રણ જેટલા લોકો ભેગા મળ્યા. અનેક વાર ચર્ચાને અંતે એનું નામ અને એનું રૂપ પણ બદલ્યાં. છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સુક્તમ્ ” જેને અર્ધમાગધીમાં “સમણુસુત્ત” કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જેનોને ૭ ને આંકડે પ્રિય છે. ૭ને ૧૦૮ વડે ગુણીએ તો ૭૫૬ થાય છે. સર્વ સંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચિત્ર સુદ તેરસ ને વર્ધમાન જયંતીને દિવસે– ૨૪મી એપ્રિલે આ ગ્રંથ અત્યંત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કરવો. જયંતીને દિવસે જૈન ધર્મ-સાર
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy