SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ન મહાવીર છેલ્લા હતા. આ તે અનાદિ અનંત પરંપરા છે. કોણ જાણે કેટલીયે ચોવીસીઓ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે! સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં દેખાઈ આવે છે કે પારમાર્થિક - અને આધ્યાત્મિક ભૂમિકામાં વિદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી. આમ છતાં વહેવારના ક્ષેત્રમાં તથા બનેના તત્ત્વજ્ઞાનમાંઆચારમાં અને દર્શનમાં ચોખ ભેદ છે. બન્ને સંસ્કૃતિઓ એકબીજાથી ખાસી પ્રભાવિત થઈ છે, બનેમાં આદાન-પ્રદાન પણ ખાસું થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તો બન્નેની લગભગ એક સરખી જ રહી છે. જે ભેદ દેખાય છે તે પણ સમજમાં ઊતરે નહીં એવો નથી. ઊલટું માનવ સંસ્કૃતિના વિકાસના સ્તરો સમજવામાં એ બહુ સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનનાં અનેક દશ્ય જોવા મળે છે. એક જ કુટુંબમાં જુદા જુદા વિચારવાળા લોકો પોતપિતાની રીતે ધર્મ સાધના કરતા હતા. આજે જે જૈન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીન કાળમાં કઈ વિશેષ નામ નહીં હોય. એ ખરું કે જેન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતાં જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિગ્રંથ” અથવા “નિન્ય પ્રવચન શબ્દ ચાલતો. એને ક્યાંક કયાંક આર્યધર્મ પણ કહ્યો છે. પાર્શ્વનાથના - સમયમાં એને “શ્રમણધર્મ ” પણ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમી થઈ ગયા તેના સમયમાં આને “અહત ધર્મ ” કહેતા હતા. અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણ ગાયની સેવા અને ગોરસ-( દૂધ આદિ)ને જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તો અહિંસક સમાજ-રચના માટે થયેલો એક મંગળ પ્રયાસ હતો. બિહારમાં જૈન ધર્મ “આહત ધર્મના નામે પ્રચલિત હતો. રાજષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. ઈતિહાસમાં વખતોવખત નામે બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ-પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાંત બીજ તે આજે છે તેનું તે જ હતું–આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ-પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જેનધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ શ્રમ, સમતા અને વિકાર-શમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલો છે. ૧૨
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy