SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૧૦૭ ૩૨૬. સાવદ્યોગ અર્થાત્ હિંસારંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ જાણી વિદ્વાને આત્મહિત તથા મોક્ષ પ્રાપ્તિ માટે સામાયિક કરવી જોઈએ. ૩૨૭. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ . શ્રમણ જેવો ( સર્વ સાવદ્યાગથી રહિત અને સમતા-ભાવ યુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. ૩૨૮. સામાયિક કરતી વખતે જે શ્રાવક પર-ચિતા કરે છે એનું ધ્યાન એ આર્તા–ધ્યાન કહેવાય. એની સામાયિક નિરર્થક છે. ૩૨૯. આહાર, શરીર-સંસ્કાર, અબ્રહ્મ. તથા આરંભ ત્યાગ–આ ચાર પ્રોષપવાસ નામના શિક્ષાવ્રતમાં આવે છે. આ ચારેયનો ત્યાગ આંશિક પણ અને સર્વાશ પણ હોય છે. જે સંપૂર્ણપણે પ્રષિધ કરે છે, એણે નિયમપૂર્વક સામાયિક કરવી જોઈએ. - ૩૩૦. ઉદ્દગમાદિ દોષોથી રહિત, દેશ-કાલાનુકૂલ, શુદ્ધ અનાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થોનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લોકો કોઈ પણ પ્રકારની સૂચના અગાઉથી આપ્યા વિના અતિથિ રૂપે આવે છે એમને પોતાના ભોજનમાં સંવિભાગી બનાવવા એવો પણ આનો અર્થ થાય છે.) " ૩૩૧. આહાર, ઔષધ, શાસ્ત્ર અને અભયના રૂપમાં દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસકાધ્યયનમાં અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા યોગ્ય ગણાવેલ છે. ૩૩૨. ભોજન માત્રનું દાન કરવાથી પણ ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ?
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy