SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ર૭૪. વાસ્તવમાં, ચારિત્ર જ ધર્મ છે. આ ધર્મને શમરૂપ કહેવામાં આવ્યા છે. મેહ અને ક્ષોભરહિત આત્માનું નિર્મળ પરિણામ જ શમ અથવા સમતારૂપ છે. ૨૭૫. સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ . અને સ્વ-ભાવ-આરાધના આ બધા કાર્થક શબ્દો છે. ૨૭૬. જેણે (સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યના ભેદ જ્ઞાનની શ્રદ્ધા તથા આચરણ દ્વારા) પદાર્થો તથા સૂત્રોને સારી પેઠે જાણી લીધા છે, જે સંયમ અને તપથી ચુકત છે, વિગત-રાગ છે, સુખદુઃખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્ધોપગી કહેવામાં આવે છે. ર૭૭. આવા શુદ્ધોપાગીના શ્રમણ્યને જ શ્રમણ્ય કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ દર્શન અને જ્ઞાન કહેવામાં આવે છે. એને જ નિર્વાણ પ્રાપ્તિ થાય છે. એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું નમન કરું છું. ર૭૮. શુદ્ધોપગપૂર્વક સિદ્ધ બનનાર આત્માઓને અતિશય, આમંત્પન્ન, વિષયાતીત, અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. ર૭૯. જે ભિક્ષુને તમામ દ્રવ્ય પ્રતિ રાગ, દ્વેષ, અને મેહ નથી . . તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષુને શુભાશુભ કર્મોનો આસ્રવ નથી હોતો. - (૬) સમન્વય ૨૮૦. નિશ્ચયચારિત્ર તે સાધ્યરૂપ છે તથા સરાગ (વ્યવહાર) ચારિત્ર એનું સાધન છે. સાધન તથા સાધ્યસ્વરૂપ બન્નેચારિત્રને કમપૂર્વક ધારણ કરવાથી જીવને પ્રબંધ થાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy