SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ () નિશ્ચયચારિત્ર ર૬૮. નિશ્ચયનયના અભિપ્રાયાનુસાર આત્માનું આત્મામાં આત્માને માટે તન્મય થવું એ જ સમ્યક ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. • ૨૬૯. જેને જાણી ચગી પાપ અને પુણ્ય બનેનો પરિહાર કરે છે એને જ કર્મ રહિત નિર્વિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે. ૨૭૦. જે રાગને વશ થઈ પરદ્રવ્યોમાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ પરચરિતાચારી બને છે. ર૭૧. જે પરિગ્રહ વિનાને તથા અનન્ય મન બનીને આત્માને જ્ઞાનદર્શનમય સ્વભાવરૂપ જાણે છે–દેખે છે એ જીવ સ્વકીયચરિતાચારી કહેવાય છે. ર૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી એનાં તપશ્ચરણ અથવા વ્રતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલતપ અને બાલવ્રત કહ્યાં છે. ૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના-મહિનાનું તપ કરે છે અને (પારણામાં) દાભના અગ્રભાગ જેટલું (નામમાત્ર) ભજન કરે છે એ સુઆખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતો નથી.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy