SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ શુદ્ધ આત્માને પ્રાપ્ત * કરે છે અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુકત જાણે છે એ અશુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. ૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક) ને જાણે છે જે બાદ્યને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્યાવ્યંતર-એકબીજા-સહવતી છે.) ૨૫૮. જે એક આત્માને જાણે છે એ તમામ (જગત)ને જાણે છે. - જે તમામને જાણે છે એ એકને જાણે છે. ર૫૯. (માટે હે ભવ્ય !) તું. આ જ્ઞાનમાં હમેશાં લીન રહે. એમાં જ હમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને . ઉત્તમ સુખ (પરમસુખ) પ્રાપ્ત થશે. ર૬૦. જે અહ“ત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) . જાણે છે એ જ આત્માને જાણે છે. ર૬૧. જેવી રીતે કેઈ વ્યકિત ખજાનો પ્રાપ્ત થાય એટલે એને ઉપભોગ સ્વજનોની વચ્ચે કરે છે તેમ-બરાબર તેમ-જ્ઞાનીજન મેળવેલા જ્ઞાનના ખજાનાને ઉપભાગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પોતાને માટે કરે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy