SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ર૪૯. પરંતુ સમ્યકત્વરૂપી રત્નથી હિત અનેક પ્રકારનાં શાસ્ત્રોને જ્ઞાતા, આરાધના વિહીન હાઈ સંસારમાં અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે. ૨૫૦-૨૫૧.જે વ્યક્તિમાં એક પરમાણુ જેટલો પણ રાગાદિભાવ વિદ્યમાન છે એ બધાં આગમનો જ્ઞાતા હોવા છતાં પણ આત્માને નથી જાણતો. આત્માને નહીં જાણવાથી અનાત્માને પણ નથી જાણતા. આ પ્રમાણે જયારે એ જીવ-અજીવ તવને નથી જાણતો ત્યારે એ સમ્યગ્દષ્ટિ. કેવી રીતે હોઈ શકે ? ઉપર. જેનાથી તત્ત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવે છે. - ૨૫૩. જે વડે–જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રિયમાં હિતમાં : અનુરકત બને છે અને મૈત્રી ભાવ વધતો જાય છે એને જિન શાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે.. ૨૫૪. આત્માને જે અબદ્ધસ્કૃષ્ટ (દેહ-કર્માનીત) અનન્ય (અન્યથી - રહિત), અવિશેષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત આ વિહીન (નિર્વિકલ્પ) દેખે છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. ૨૫૫. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્ત્વતઃ ભિન્ન તથા જ્ઞાયકભાવરૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy