________________
૫૪ :
શ્રી હિતોપદેશમાળા
तुंगगिरिनिवडण-सिहरावयडोवलखलणनीयगामित्तं । अणुवकयाउ नइओ, सहति लोओवयारत्थं ॥२६४॥ रविकरतावं पक्खीण, चंचुनहपहरपयभरक्कमणं । विसहंति मग्गतरुणो, पहियाणमपरिचियाण कए ॥२६५॥ भूमी वि वहइ भारं, जलणो वि हु ओसहीगणं पयइ । आसासइ पवणो वि हु, लोयं केणुवकयं तेसिं ॥२६६।। इय जइ अणुवकया वि हु, विसिडचेयन्नसुन्नया वि इमे । किर उवयरंति ता जयह, दव्व-भावोवयारेसु ॥२६७॥
નદીઓ પર લોકોને કઈ ઉપકાર હોતો નથી છતાં નદીઓ પર્વતના શિખર ઉપરથી પડવું, પત્થરાદિની સાથે અથડાવવા વગેરેનું કષ્ટ લોકોના સ્નાનાદિના ઉપકાર માટે સહન કરે છે. ૨૬૪ - સૂર્યને પ્રચંડ તાપને-પક્ષીઓની ચાંચ અને નખના પ્રહારને, પગના ભારના આક્રમણને તથા બીજા પણ ઠંડી આદિના કષ્ટને સહન કરીને વૃક્ષે અપરિચિત એવા મુસાફરોને શીતલતા-છાયા આદિ આપે છે. ૨૬૫ - પૃથ્વી ચરાચર વિશ્વના ભારને વહે છે, અગ્નિ અનાજ વગેરેને રાંધી આપે છે. પવન થાકેલાં માણસોને આશ્વાસન આપે છે. આ બધી વસ્તુઓ ઉપર લોકોએ કે ઉપકાર કર્યો છે ? અર્થાત્ કઈ ઉપકાર કર્યો નથી. ૨૬૬
જેના ઉપર કેઈથી ઉપકાર નથી કરાય એવાં વિશિષ્ટ રૌતન્ય વગરના પણ વૃક્ષો વગેરે ઉપકાર કરે છે, તો સચેતન પુરૂષોએ દ્રપકાર અને ભાવપકાર કરવામાં અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ર૬૭
વર્ષવા વિગેરેને એને સ્વભાવ હોય છે. તે પણ તેઓ પરોપકારમાં બદ્ધ બુદ્ધિવાળા બનીને ‘વર્ષવા વિગેરેની પ્રવૃત્તિ કરે છે. એવો વિર્તક થાય છે અર્થાત કવિએ ઉલ્ઝક્ષારૂપ ક૯૫ના કરે છે. આ સ્થળમાં ટીકામાં આ પ્રકારે ખુલાસે 'કરવામાં આવ્યો છે.