________________
सिरि हिओवएसमाला
तेणावि हु तं काले विणएणं बहुमईइ तवसा य । अणिगृहणेण सुत्तत्थतदुभएणं । पित्तव्वं ॥१०४॥ इत्थ य सुत्तत्थाणं, विहिगहणे अज्जरक्खियायरिओ । तस्सेव य विहिदाणे, दिट्ठतो वइरसामि गुरु ॥१०५॥ एवमणगारिगोयरमगारिविसयं तु नाणदाणमिणं । जं तेसि पढ़ताणं, संपाडइ पुत्थयाईयं ॥१०६॥ विरएइ उवटुंभं, आहारेण चउविहेणावि । तह वत्थपत्तओसहसिज्जाईहिं . विसुद्धेहिं ॥१०७॥ नाणड्ढयाण कुणइ य, बहुमाणं तह तयंतिए सम्म ।
ताणि अहिज्जइ गंथाणि, जेसिमो होइ अहिगारी ॥१०८॥ પીડાને ગણ્યા વગર તથા આળસને ત્યાગ કરીને સૂત્ર અને અર્થ આપ જોઈએ આ રીતે સૂત્ર અને અર્થને. આપ તે શ્રુતજ્ઞાનનું દાન કહેવાય છે. ૧૦૨-૧૦૩
શિષ્ય પણ યોગ્યકાળ-વંદનાદિના વિનયથી ગુરૂ પ્રત્યેના બહુમાન વડે ગોદ્રહનાદિના તપ કરવા પૂર્વક અને જેની પાસે જ્ઞાન લીધુ હોય તેને છુપાવ્યા વગર સૂત્ર-અર્થ-અને (સૂત્ર-અર્થ રૂ૫) તદુભય એ અને રીતે શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ. ૧૦૪
શ્રુતજ્ઞાનને આશ્રયીને સૂત્ર, અર્થ અને તદુભયનું વિધિપૂર્વક ગ્રહણ કરવા માં શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મહારાજ અને તેનું વિધિપૂર્વક દાન કરવામાં ગુરૂવર્ય શ્રી વેજસ્વામીજી મહારાજ દૃષ્ટાન્ત રૂપ છે. ૧૦૫
આ રીતે સાધુને લગતું જ્ઞાનદાન બતાવ્યું. હવે શ્રાવકને લગતું જ્ઞાનદાન આ પ્રમાણે છે
જે શ્રાવકે શાસ્ત્રાભ્યાસ કરનારા સાધુઓને પુસ્તકાદિ લાવી આપે છે. વળી–આધાકર્માદિ દેષથી વિશુદ્ધ એવા અશનાદિ ચાર પ્રકારને આહાર તથા વસ્ત્ર, પાત્ર (શય્યા, ઔષધ) આદિ આપવા દ્વારા જ્ઞાનાભ્યાસ કરનારા સાધુઓના શરીરને ટેકા રૂપ થાય છે, તથા જેઓ જ્ઞાનાધિક આચાર્યાદિનું બહુમાન કરે છે, તેવા શ્રાવકે તે આચાર્યાદિની પાસે જે ગ્રન્થોને ભણવા માટે અધિકારી હોય, તે ગ્રન્થોને ભણે. ૧૦૬-૧૦૭–૧૦૮.