SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચારિત્રાત્મક માહિતી આમેજ થઈ છે. મહત્ત્વની વ્યક્તિઓ પરત્વે તો ઘણી વિસ્તૃત, તથા ઘણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણોમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો જોડ્યા વગર મોહનભાઈ રહી શક્યા નથી. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂર્તિઓ, જિનમંદિરો, અન્ય સ્થાપત્યો, ઐતિહાસિક વ્યક્તિઓ, પ્રાચીન પ્રતોમાંના રંગીન ચિત્રો, પ્રતોમાંના હસ્તાક્ષરો, લેખો વગેરેની મળી ૫૯ છબીઓ મૂકી છે અને તેના સવિસ્તર પરિચય ૬૨ પાનામાં આપ્યો છે, પોતાના નિવેદનમાં પણ ભંડારો, પ્રદર્શનો, વિહારો-આશ્રમો, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષયો પર ચર્ચા કરવાની તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈએ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે. મોહનભાઈના સાહિત્યરસ, ઈતિહાસરસ, ધર્મરસ અને ગુણાનુરાગ આ સંગ્રગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આરંભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણો જુઓ એટલે એ ઉદ્ધરહણો – આપનારા વ્યક્તિત્વનો ઉષ્માભર્યો સ્પર્શ થયા વિના રહેશે નહીં. ગ્રંથસામગ્રીમાં પણ મોહનભાઈએ કલમને મોકળી વહેવા દઈ ચારિત્રનાયક - કે ઐતિહાસિક પ્રસંગનો યોગ્ય મહિમા સ્થાપિત કર્યો છે. કર્તા-કૃતિની કોરી નોંધોના ખડકલા વચ્ચે આ બધું પડેલું છે તેથી – પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવો સંભવ છે – પણ ધર્યથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી. મોહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નોંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પરત્વે મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓ'નો હવાલો આપી કેવલ કવિનામયાદીથી સંતોષ માનવો પડ્યો છે. મોહનભાઈની એક મહત્ત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્યકૃતિઓના સંપાદનની છે. પોતાની પુસ્તિકા જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય' એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મોહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાર્ય બની ગયું. “સુજસવેલી ભાસ' એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મોહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામનો એમનો રસ કેટલો ઉત્કટ હતો ને એમાં એ કેટલા ખુંપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે. કેટલીક સામાયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તો અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy