SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બીજી વાત. સંપ્રદાયી સાહિત્ય પ્રગટ કરનાર ‘ગૂર્જર' કરતાં જૈન ૫૨ વધારે ભાર મૂકવામાં લલચાય ને તેથી ગુજરાતી ન હોય તેને પણ જૈન છે માટે ગુજરાતી કરીને ઠોકી બેસાડે-અલબત અજાણતાં. આ સંગ્રહમાંનો દાખલો લઇએ. દેવચંદ્ર નામના જૈનમુનિની કૃતિઓના નમુના મૂકયા છે. આ કવિ વીકાનેરમાં (મારવાડમાં) થઇ ગયા, ગુજરાતને ને વીકાનેરને વેપારનો કે ધર્મનો ગમે તેવો સંબંધ હોય, મારવાડી ભાઇ ગુજરાતી ભણીને ભલે ગ્રંથો રચે, પણ તેવો ગ્રંથોને ગુજરાતી કેમ કહેવાય ? વાંચો આ નમુના : ૧૫૦ (૧) હિંદુધર્મ વીકાનયર, કીની સુપ્ત ચૌમાસ તિહાં એ નિજ જ્ઞાતમાં, કીનો ગ્રંથ અભ્યાસ (૧૫૩ વર્તમાનકાલ થીત આગમ સકલ ગીત જગમેં જ્ઞાનવાન સબ કૐ હં જિનવર ધર્મ પરિ જાકી પરતીતિ થિર ઔર મન વાતચિતમાંહિ નાહિં કહૈ હૈ. પાન ૪૮૦ (૨) અભયચંદકે આગ્રહે, પુસ્તક લિખ્યો પ્રમાણ X X X X ઔર ધર્મ સબ ભર્મ હે, જાસૌ બંધે ધર્મ ક્ષેત્ર સ્પર્શનાકે ઉર્દુ, તુમ હમ દર્શન હોય, મનોવર્ગણાકો મિલન, ચાહત હૈ નિત સોય. (પાન ૪૮૩) આવા ને આવા નમુના પર ગુજરાતી ભાષાનો ઇતિહાસ રચવો એ મિથ્યા છે.+ જૈનોની પ્રાકૃતા ગુર્જરી અને બ્રાહ્મણોની સંસ્કૃતા ગુર્જરી એવા બે ભેદ હમણાં ‘મીઠા’ કવિતા કાવ્ય તરીકે રા. બધેકાએ ‘ગુજરાતી’ના સં. ૧૯૮૮ના દીવાળી અંકમાં આપેલ કાવ્યમાં ઉપસ્થિત કર્યા છે તે ‘કોરસ’ રૂપે છે અને મારા મને પ્રાય. વિવાદાસ્પદ છે. ܀ પ્રેમાનંદનાં આખ્યાનો પણ સાંપ્રદાયિક-બ્રાહ્મણ પુરાણ કથા પરથી લખાયેલાં છે ને તેમાં પણ સાંપ્રદાયિક પરિભાષા આવી છે. તેવી પરિભાષા ચિર-પરિચિત થતાં સાધારણજનમાન્ય થાય છે. શબ્દપ્રયોગો પણ પ્રાચીન તેમજ પ્રાચીન પરથી ઉદ્ભવેલા વપરાય છે. જેમ બ્રાહ્મણોનું તેમજ જૈનોનું. તેથી પ્રાચીન ગુજરાતીની જૈન ઇમારત બ્રાહ્મણ એકલા સાહિત્ય પરથી નહિ પણ બંને સાહિત્ય પરથી રચી શકાશે. પ્રાચીન-પછી મધ્યકાલીન-પછી અર્વાચીન એમ ભાષા ઉત્તરોત્તર ઉત્ક્રાંત થતાં શું શું અને કેવી રીતે પરિવર્તનો થતાં ગયાં, તે પ્રાચીન-મધ્યકાલમાં ગુજરાતી જોડણી કેટલી પ્રવાહી હતી તેનો અભ્યાસ બ્રાહ્મણ ને બ્રાહ્મણેતર હસ્તલિખિત પ્રતિઓ વડે અવકાશ લઇને તંત્રી સાહેબ કરશે તો અનેક ભ્રમો નિર્મૂળ થશે. + સાહિત્યના તંત્રીએ જણાવેલી આ બીજી વાત બરાબર નથી. જૈન કવિકૃત કોઈ ગૂજરાતી નહિ એવી કૃતિને ગૂજરાતી ઠોકી બેસાડવાની લાલચ કે અજ્ઞાન તે કૃતિનો આ સંગ્રહમાં ઉલ્લેખ કરવામાં નિમિત્તભૂત નથી, પરંતુ જૈન કવિની ગૂજરાતી કવિઓ સાથે ‘ભાષા' એટલે હિંદીમાં કૃતિઓ હોય તો સાથે સાથે તે કવિની નીચે તેમનો ઉલ્લેખ કરી દેવો એ આશય નિમિત્તભૂત છે. પહેલો જે ઉતા૨ો તંત્રીશ્રીએ ઉદાહરણ તરીકે લીધો છે તે જે કૃતિનો છે તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy