SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૫ તા. ૯-૮-૩૧ના પત્રથી જણાવે છે કે શ્રી મોહનલાલ દેસાઇ તરફથી પહેલો ભાગ ઘણા વખત થયાં મળ્યો છે અને બીજો હમણાં આપના કાગળ સાથે મળ્યો છે. શ્રી મોહનલાલ દેસાઇએ જે શ્રમ લીધો છે, અને એ પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્યના અને ભાષાના અભ્યાસ માટે જે સાધન પૂરાં પાડયાં છે તેની કિંમત આંકવા માટે તો પુષ્કળ અભ્યાસ અને અવકાશી જરૂર છે. તે પુસ્તકોની કિસ્મત એટલી ઉંચી અને મોટી છે કે ઉપર ઉપરથી જોઇને કાંઇ કહી નાંખવું એ અન્યાય આપવા જેવું જ ગણાય. અને તેથી જ હું તે સંબંધે કાંઈ લખી શકયો નથી. જેટલો અવકાશ અને જેટલો અભ્યાસ, તે પુસ્તકોની કદર કરાવવા માટે જોઇએ તે હું મેળવી શકયો નથી અને હજુ એક વરસ સુધી તો મેળવી શકું એમ નથી. પણ પછી તે રત્નોના ગાઢ પરિચયમાં આવવા અવશ્ય ઇચ્છું છું અને પ્રભુ ઈચ્છા હશે તો તે પુસ્તકો ભાષા ઉપર જે પ્રકાશ પાડે છે, ભાષાના વંશાવતારના અભ્યાસ માટે જે ઉપયોગી સાધન પૂરાં પાડે છે. ગુજરાતના જીવન માટે અને ધાર્મિક અને ઇતર પ્રવૃત્તિ માટે જે દૃષ્ટિ રજુ કરે છે તે બધાનો અભ્યાસ અવશ્ય કરીશ અને વિગતથી તે માટે લખીશ દરમ્યાન. શ્રી મોહનલાલ દેસાઈએ જે શ્રમ લીધો છે, અને જે અભ્યાસ કર્યો છે તે માટે તેમને અને આવાં સામાન્ય જગત જેને કોઈપણ રીતે અપનાવી ન શકે અને તેથી જેની રૂપિયા આના પાઈમાં ગણાતી કિસ્મતમાં પણ કાંઈ વળતર ન આવે, તેવાં, છતાં અત્યંત કિમ્મતી અને ઉપયોગી પુસ્તકો છપાવવા માટે આપના કોન્ફરન્સને અનેક ધન્યવાદ ઘટે છે એટલું તો કહી દેવા તક લઉ છું. જૂની ગુજરાતીનો અભ્યાસ મેં શરૂ કરેલો, પણ ઘણા ઘણા અંતરાયોને લીધે તે પ્રારંભદશાથી આગળ વધી શકયો જ નથી. જેથી જ જૈન ભાઈઓ તરફથી પ્રગટ થતાં આનંદ કાવ્ય મહોદધિના અંકે તથા જૈન ગુર્જર કવિઓના ભાગો માત્ર ઉપર ઉપરથી જોવા ઉપરાંત વધારે હું કરી શકો નથી, પરંતુ હું જેટલું જોઈ શકયો છું તે ઉપરથી કહી શકું છું કે અભ્યાસનાં સાધન તરીકે ઘણું ઉપયોગી સાહિત્ય આ પુસ્તકો દ્વારા પ્રકટ થયું છે અને તેથી ગુજરાતી ભાષાનો દરેક અભ્યાસી આવાં પ્રકાશન માટે ઉપકૃત રહેશે જ. મને સંભાળી પુસ્તકો મોકલવા માટે આભાર માનું છું. ૧૦. રા. કહાનજી ધર્મસિંહ કવિ તા. ૧૩-૯-૩૧ ના પત્રથી લખે છે: -વિ. કે- જૈન ગુર્જર કવિઓ' ના બે ભાગ આપના દ્વારા પ્રાપ્ત થતાં અતિ આનંદ ઉદભવ્યો. એ ઉપર વિવેચન કે વિવરણ તો સમર્થ વિદ્વાનો જ લખી શકે. હું તો એ મહાપુરુષોનો કેવલ ગુણપૂજક અને પ્રશંસક હોવાથી એટલું જ નિવેદન કરીશ કે. (દોહરા) જૈન કાવ્યસાહિત્યના, મહાભારત બે ભાગ, અવલોકનથી ઉપજ્યો, અંતરમાં અનુરાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy