SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચિત્રો ઉપરાંત રાજપૂત રાજસ્થાની, રાજપૂત-પહાડી, મુગલ, ફારસી આદિ શૈલિઓનાં અને આધુનિક ભારતીય કલાના પ્રતિનિધિ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વિશુદ્ધ રાજપૂત શૈલીનાં રાગિણીચિત્રોનો પણ સારો સંગ્રહ છે. ચિત્રો સિવાય હાથી દાંતની કારીગરીની ચીજો અને પુરાણી મૂર્તિઓનો સંગ્રહ છે અને મહત્ત્વપૂર્ણ ભાગ તો પ્રાચીન સિક્કાઓ અને હસ્તલિખિત પ્રતોનો છે. તેવી પ્રતો પ્રાયઃ પાંચ હજાર છે, કે જે બધી જૈન પ્રતો છે. તેમાંની કેટલીક તો બહુ જાની અને મૂલ્યવાન છે. આવો કલાસંગ્રહ કરવામાં પૂરણચંદજીએ પુષ્કળ દ્રવ્ય ખર્ચી અતિ કલાપ્રેમ દાખવ્યો છે તે માટે તેમને ખાસ ધન્યવાદ ઘટે છે. એ પ્રમાણે અન્ય સ્થિતિ સંપન્ન સજ્જનોમાં પણ કલા અને વિદ્યાપ્રેમ ઉત્પન્ન થાઓ ! ૧૧૫૪. ‘જૈનોએ સાહિત્ય અને કલા માટે ઘણું કર્યું છે અને તે સર્વેના સંગ્રહ, પ્રકાશન અને કદરની જરૂર છે. આ સંબંધમાં થોડીક સૂચના કરૂં છુંઃ (૧) જેટલા જૈન ભંડારો હોય તેમાંના ગ્રંથો, ચિત્રો વગેરેની યાદી કરાવવી અને વિદ્વાન પાસે તે ગ્રંથો તપાસાવી તેમના વિષે સવિસ્તર રીપોર્ટ તૈયાર કરાવવો. (૨) ભંડારોમાં કપડાં, ચિત્રો વગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હોય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીજો સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી. (૩) જૈન મંદિરો, પ્રતિમાઓ વગેરે પર લેખો હોય તે સાલવાર પ્રગટ કરાવવા. (૪) મંદિરો પ્રતિમાઓની છબીઓ, નકશા વગેરે પ્રગટ કરવાં. (૫) મંદિરોની વિધિઓ, ઉત્સવો, વગેરેનાં સચિત્ર વર્ણન પ્રગટ કરવાં. (૬) જે જે જૈન વેપારીઓનાં જૂનાં નિવાસસ્થાન હોય ત્યાંથી જજૂનામાં જૂના ચોપડાઓ, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વિગતો પ્રગટ કરવી. આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજવ્યવસ્થા, રાજવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જૈનોએ શું શું કર્યું તેમનું સ્વરૂપ નિરૂપવાનાં સાધનો અને અનુકૂળતા પ્રાપ્ત થશે. (રણજિતરામભાઇનો ‘જૈન સંસ્કૃતિ’ ૫૨ લેખ જૈવ કૉ૦ હેરૅલ્ડ-જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧) ૧૧૫૫. સર્વ જાતની કળાઓના-લલિતકળાના વિસ્તાર અને પ્રચાર માટે પૂર્વના જૈનોએ ઉચ્ચ ભાવના અને દીર્ઘદૃષ્ટિ રાખી જે કર્યું છે. તેમાં અનેક વિકૃતિઓ થઈ છે અને જૈનોમાં હાલ કેવું કળાવિહીન જીવન થયું છે અને તે કેમ સુધારી શકાય તે ખાસ વિચારણીય છે. (આ માટે જાઓ રા. પરમાણંદ કુંવરજીની લેખમાળા નામે ‘આધુનિક જૈનોનું કળાવિહીન ધાર્મિક જીવન' સં. ૧૯૭૬ ના વૈ. થી ૭૮ ના ફાગળ સુધીના ગાળામાં જૈનધર્મ પ્રકાશમાં કે જે પુસ્તકાકારે સં. ૧૯૮૫માં ‘સુઘોષા’ કાર્યાલય તરફથી છપાયેલ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy