SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આદિના અનેક ધંધા તેઓ કરે છે. લોર્ડ કર્ઝન કહી ગયો હતો કે હિંદનું અધું નાણું જૈનોના હાથમાંથી પસાર થાય છે.” એ વસ્તુસ્થિતિ હાલ રહી નથી, છતાં સાહસ અને દીર્ઘદૃષ્ટિથી વેપાર ખેડનારા જૈનો જેમ દરેક યુગમાં હતા તેમ અલ્પ સંખ્યામાં પણ હજુ છે. ૧૧૩૦. તેમણે જ્ઞાનનો પ્રચાર કરવા માટે પૂર્વે હજારો અને લાખો રૂપિયા ખર્ચી હસ્તલિખિત પ્રતો કરાવી સાધુ-મુનિરાજોને વહોરાવી છે, અભ્યાસીઓને તથા મુમુક્ષુઓને દાનમાં આપી છે અને લોકોપયોગી ગ્રંથભંડારોમાં સ્થાયી છે. આજે પણ અનેક ધર્મગ્રંથો વિનામૂલ્ય પ્રસિદ્ધ થઇને પ્રચારમાં મૂકાઈ રહ્યા છે અને કેટલાક સ્વલ્પ મૂલ્યથી વેચાઈ રહ્યા છે. એ જ્ઞાનપ્રચાર ઉદાર દૃષ્ટિથી ખર્ચ કરનાર ધનવાન જૈનોની જ્ઞાનપ્રીતિનું ફળ છે. તેમણે સાધુસંસ્થાને પોષી તેમની પાસેથી ધર્મોપદેશનો લાભ લીધો છે, અને તીર્થસંસ્થાને પણ કળાથી શણગારી તેનું સંરક્ષણ અને ઉદ્ધરણ કરેલ છે. પૂર્વના જૈનોનું અનુકરણ કરીને મોટા મોટા શેઠીઆ અને શરાફોએ મોટાં મોટાં દાન આપીને પોતાના ઇષ્ટદેવ તીર્થંકરો પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવામાં અને દયાધર્મ કરીને સત્કર્મ સંચી લેવામાં કશી પાની કરી નથી. શેઠ હઠીસિંહે સં. ૧૯૦૧-૩માં અમદાવાદમાં જે સુંદર દેવાલય શ્વેતમર્મરનું બંધાવ્યું તે સુપ્રસિદ્ધ છે. તેમજ બીજાં અતિ મૂલ્યવાનું મકાનો અને દેવાલયો છેલ્લા સૈકામાં બંધાયાં છે તે એ સંઘની ધનશાલિતા અને દાનવૃત્તિનું પ્રમાણ છે. પરંતુ આ સાથે જણાવવાનું કે જૈનોએ પ્રાચીન સાહિત્ય અને તીર્થોનો વારસો સંભાળ્યો છે-જાળવી રાખ્યો છે, તેથી તે પ્રત્યેની સર્વ ફરજમાંથી તેઓથી મુક્ત થવાતું નથી, પરંતુ તે વારસાનો ઉપયોગ જૈનોએ એવી રીતે કરવો જોઇએ કે જેથી એ વારસો જીવંત રહે અને અનેક મનુષ્યોના આકર્ષણ તથા ઉદ્ધારનું સાધન બને. આ માટેની સૂચનાઓ હવે પછી કરવામાં આવી છે. ૧૧૩૧. અહિંસાના પાલન અને પ્રચારના એક સચોટ પુરાવા તરીકે મુખ્યત્વે શ્રાવકો તરફથી ચાલતી પાંજરાપોળની સંસ્થા ચાલી આવી છે. કયારથી તે ઉદ્ભવી તે કહી શકાતું નથી, છતાં ગૂજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં તેને વ્યાપક કરવામાં કદાચ કુમારપાળ અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય એમ માનવાનું મન થઈ જાય છે. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતનું તેમજ રજપૂતાનાના અમુક ભાગનું કોઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કો નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. વિદેશી મુસાફરોએ આનાં વર્ણન આપ્યાં છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેની સારસંભાળ રાખવાનું કામ કરે છે. તેની પાછળ દરવર્ષે જૈનો લગભગ પચાસ લાખ રૂા. ખર્ચતા હશે, ને તેથી લાખેક જીવોની સંભાળ થતી હશે. દેશમાં કેટલેક સ્થળે ગોશાળાઓ પણ છે. આ પાંજરાપોળ ને ગોશાળાની સંસ્થા-એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે. એમ કોઈપણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડીઆરાની પ્રથા, જળચરોને લોટની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભોગો બંધ કરાવવાની પ્રથા-એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy