SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્યાદ્વાદ અથવા એકાન્તવાદ; બીજી બાજા અહિંસા અને અંતે ઉપશમ. આ જૈન ધર્મનાં મુખ્ય ત્રણ તત્ત્વો છે, અથવા એને ત્રણ તત્ત્વો કહેવા કરતાં એક આધ્યાત્મિક તત્ત્વનાં ત્રણ પાસાં કહીએ. આપણે બધાને એક અહિંસા નામથી સંબોધી શકીએ, કારણ જ્ઞાનની અનેક દૃષ્ટિઓમાં અહિંસા તે સ્યાદ્વાદ, અને ઉપશમ એટલે વિકારોને અહિંસામય કરી નાંખવા તે; અથવા ત્રણેને ઉપશમ કહી શકીએ. જ્ઞાનમાં ઉપશમ-વ્યક્તિની મર્યાદાથી ઉત્પન્ન થતા એકાન્ત આગ્રહનો ઉપશમ તે સ્યાદ્વાદ, અને વિકારોનો ઉપશમ એજ અહિંસા; અથવા આપણે એમ કહીએ કે જ્ઞાનના પ્રદેશમાં જે મધ્યસ્થતાને અનેકાન્ત કહીએ છીએ, તેને ભાવનાના પ્રદેશમાં અહિંસા કહીએ, અને તેને ચારિત્રના પ્રદેશમાં ઉપશમસાધક ચારિત્ર કહીએ. આ પ્રમાણે વિચાર કરતાં જૈન ધર્મનાં આ ત્રણ મુખ્ય તત્ત્વો મને સમજાયાં છે; આ ત્રણ તત્ત્વો આજે આપણને કામનાં છે કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં જૈન ધર્મ આજે કામનો છે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર આવી જશે. આજે આપણને કામ ક્રોધાદિને વશ કરવાની જરૂર લાગે છે કે પોષવાની ? આજે જગતમાં જે અનેક જાતનું, માણસની બુદ્ધિને ગાંડી બનાવી દે એટલી વિવિધતાવાળું જ્ઞાન પ્રકટ થતું જાય છે. તેનો સમન્વય કરવાની આપણને જરૂર છે ? અને આ બધાથી મોટો પ્રશ્ન એ કે આ જમાનામાં આપણને આપણો આત્મા અખંડિત, અહિંસિત રાખવાની ગરજ છે ? જો ઉત્તર હા આવશે, તો જૈનધર્મની જરૂર છે. જો ના આવશે તો નથી.’ ૫૬૦ ૧૦૯૪. ઉપસ્થિત થતા પ્રશ્નોનો સમન્વય અનેકાંતવાદથી ઉત્તમ રીતે થઇ શકે છે. કોઇ પણ બાબત લ્યો તો ઢાળને બે બાજુ હોય તેમ તેના ઓછામાં ઓછા બે પક્ષો સામે આવે છે. મહાત્મા ગાંધીજી એક સ્થળે કહે છે કે ‘જૈન દર્શનમાંથી હું ઘણું જાણવા જેવું શીખ્યો છું. તેમાંનો એક અનેકાન્તવાદ છે. એકાન્તે એકે વાત બરોબર નથી હોતી. દરેક વસ્તુને બે પક્ષ છે.” ૫૬૧ ૧૦૯૫. (૪) કર્મવાદ-આનું મંતવ્ય એ છે કે સુખ દુઃખ, સંપત્તિ વિપત્તિ, ઉંચ નીચ આદિ અનેક અવસ્થાઓ કે જે નજરે પડે છે તે થવામાં કાલ, સ્વભાવ, પુરુષાર્થ આદિ કારણોની પેઠે કર્મ પણ એક કારણ છે. પરંતુ અન્ય દર્શનોની પેઠે કર્મવાદપ્રધાન જૈનદર્શન ઇશ્વરને ઉક્ત અવસ્થાઓના યા સૃષ્ટિની ઉત્પત્તિના કારણ માનતું નથી.બીજાં દર્શનોમાં અમુક સમયે સૃષ્ટિનું ઉત્પન્ન થવું માનેલું છે. તેથી તેઓમાં સૃષ્ટિની ઉત્પત્તિ સાથે કોઇ કોઇ પ્રકારે ઇશ્વરનો સંબંધ જોડી દીધો છે. પરંતુ જીવોને ફલ ભોગવવા માટે જૈન દર્શન ઇશ્વરને કર્મનો પ્રેરક માનતું નથી કારણ કે કર્મવાદ એમ માને છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તેમજ તેનાં ફળને ભોગવવામાં પણ સ્વતંત્ર છે. આ રીતે જૈનદર્શન ઇશ્વરને સૃષ્ટિનો અધિષ્ઠાતા નથી માનતું, કારણ કે તેના મતે સૃષ્ટિ અનાદિ-અનન્ત હોવાથી તે કિંદ પણ પૂર્વે ઉત્પન્ન થઇ નથી તથા તે સ્વયં જ પરિણમન-શીલ છે. તેથી ઇશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રાખતી નથી. કૃતકૃત્ય ઇશ્વર પ્રયોજન વિના સૃષ્ટિમાં હસ્તક્ષેપ કરે નહિ, આત્માનું સ્વાતંત્ર્ય પોતાના ૫૬૦. ‘જૈનધર્મનું રહસ્ય' એ નામનો રા. રસિકલાલ છોટાલાલ પારેખ બી.એ.નો લેખ-‘સુઘોષા’નો સં. ૧૯૮૪ ના દીવાળીનો અંક તથા ‘જૈનયુગ' સં. ૧૯૮૪ના આસોનો અંક પૃ. ૪૭ ૫૬૧. ‘ગાંધીજીનું નવજીવન’ પૃ. ૯૭૧ અનેકાન્તવાદ સંબંધે વધુ જાઓ પં. સુખલાલજીનો ‘અનેકાન્તની મર્યાદા’ એ લેખ તથા તેમનાં ન્યાયાવતાર, તત્ત્વાર્થ સૂત્ર અને સન્મતિ તર્ક પર વિવેચન. પં. જુગલકિશોર સંપાદિત ‘અનેકાંત’ પત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy