SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ४ . જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈનધર્મ-સાહિત્ય-ઇતિહાસ-મુખ્ય સિદ્ધાન્તો. ૧ सव्वप्पवयणसारं मूलं संसारदुक्खमुक्खस्स । संमत्तं पहलिता ते दुग्गइवड्ढया हुंति ॥ સર્વ પ્રવચનો સાર સંસારના દુઃખથી મોક્ષનું મૂલ એવું સમ્યક્ત્વ છે-સમ્યગ્ દર્શન છે. તે સમ્યક્ત્વને મલિન કરનારા દુર્ગતિના વર્ધક થાય છે. - ભાષ્યવચન ૨ प्राकृतः संस्कृतो वापि पाठः सर्वोप्यकारणम् । यतो वैराग्यसंवेगौ तदेव परमं रहः ॥ પ્રાકૃત હોય વા સંસ્કૃત બધુંએ ભાષણ અપ્રયોજક અર્થાત્ નકામું છે, કારણ કે વૈરાગ્ય અને સંવેગ તેજ પરમ રહસ્ય અર્થાત શ્રેષ્ઠ તત્ત્વ છે. - રત્નસિંહસૂરિકૃત આત્માનુશાસ્તિભાવના પ્રકરણ. Jain Education International ૩ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ-યશોવિજયજી. ૧૦૬૪. ભાષા એ વિચારોને સમજાવવાનું વાહન છે; જોકે તે સંપૂર્ણ રીતે ભાગ્યે જ સમજાવી શકે છે એટલે કે ભાષા હમેશાં વિચારોને મર્યાદિત કરે છે, છતાં વિચારોને જણાવવા ભાષાનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી રહેતો. ભાષામાં ‘સાહિત્ય' એ શબ્દના બે ત્રણ અર્થ સૂચવાય છે. ૧ ઉપકરણ કે સાધન, ૨. રસશાસ્ત્ર (કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન, સાહિત્ય-દર્પણ આદિ) ૩. કોઈ પણ પ્રકારનું શાસ્ત્ર (વૈદિક-સાહિત્ય, સાંખ્ય સાહિત્ય, જૈન સાહિત્ય). પ્રસ્તુત ઇતિહાસમાં તેના આ છેલ્લા અર્થને આપણી નવીન રૂઢિને અનુસરી સમસ્ત વાડ્મયના (લાક્ષણિક) અર્થમાં વિશેષ સ્થાન આપેલ છે. જૈન સાહિત્યમાં કોઈ પણ પ્રકારનું શાસ્ત્ર-પછી તે ધર્મશાસ્ત્ર, આચારવિધિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અલંકાર, કાવ્ય, જ્યોતિષ, ભૂગોળ, ખગોળ, શિલ્પ, સંગીત, આદિ હોય તે સર્વનો સમાવેશ કરીને આ પુસ્તક પ્રયોજવામાં આવ્યું છે. વિચારાત્મક અને શબ્દાત્મક એમ બંને રૂપે સાહિત્ય હોઇ શકે. તે જ્યાં સુધી મનોગત હોય, પ્રકાશમાં ન આવ્યું હોય ત્યાં સુધી તેને વિચારાત્મક સાહિત્ય કહેવું હોય તો કહી શકાય. જ્યારે તે મુખદ્વારા શબ્દનાં જુદા જાદા રૂપમાં, કલ્પનાના, અતિશયના કે ઉત્પ્રેક્ષા આદિ અલંકારોમાં સજ્જ થઇ બહાર આવે તે શબ્દાત્મક સાહિત્ય લેખાય. આ શબ્દાત્મક સાહિત્ય જ્યારે કાગળો ઉપર લિપિબદ્ધ થાય છે ત્યારે એનું બીજું નામ શાસ્ત્ર-પુસ્તક-ગ્રંથ દેવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy