SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - 3 સાહિત્યપ્રકાશકો-સંસ્થાઓ શા. ભીમસિંહ માણેક આર્યા ગીતિવૃત્ત પ્રકરણ રત્નાકર આ, પુસ્તક સાદ્યંત પૂર્ણ કરી લીધું; અર્હત્પ્રસાદ પામી, વિઘ્નરહિત શ્રેષ્ઠ કામ શુભ સીધું. ૧ જિનવર પદ વંદનમય, મંગલ અવસાનરૂપ કરૂં પ્રેમેં ઇમ નિર્વિઘ્રપણાથી, અન્ય કૃતી પણ થજો પૂર્ણ નેમેં. ૨ જિનવર આણા ગર્ભિત, નાના વિદ્વજ્જનાભિરચિત ગિરા ગદ્ય પદ્ય વા સરલા, પ્રસિદ્ધિ પામો અખંડ સકલ ધરા. ૩ શાર્દૂલવિક્રીડિત વૃત્ત હે શ્રી વી. સુધીર ઈશ અજ ને દેવાધિદેવ પ્રભુ વંદૂ હું યુત ભક્તિભાવ ધરિને થાજો સહાએ વિભુ આવાં કૃત્ય અનેક તે કરિ શકું રૂડાં કૃપા તેહવી કીજું માણકપુત્ર ભીમસિ શિરેં જોયેં તથા જેહવી. ૪ -પ્રકરણ રત્નાકર ભાગ ૪થાની પોતાની પ્રસ્તાવના, સં. ૧૯૩૭, ૧૦૪૭. તાડપત્ર પછી લૂગડા પર ને કાગળ પર હાથેથી લખવાની કળા અઢારમા શતક સુધી કાયમ રહી. ઓગણીસમી સદીમાં શિલાછાપનો પ્રચાર થતાં તેમાં થોડાં-રાસ ચોપઈ પૂજા આદિ છપાયાં. પછી વીસમી સદીમાં મુદ્રણકલાનો વિશેષ આવિષ્કાર થયો૫૫ ને તે કલાનો આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી બંધુ શા ભીમશી (ભીમસિંહ) માણેક હતા. તેમણે એક લાખ રૂ. ના ૫૫૫. ગુજરાતી મુદ્રણકળાની સ્થાપનાનું વર્ષ સં. ૧૮૬૮ છે. તે પૂર્વે દીવ બંદરના ભીમજી પારેખ નામના વાણિયાએ સં. ૧૭૩૪માં નાગરી અને માથાં બાંધેલા વાણિયાસાઇ અક્ષરોનાં ‘પંચો’ અને ‘મેત્રિસો' કરાવેલ હશે એમ ધારવામાં આવે છે. સં. ૧૮૬૮માં ફરદુનજી મર્ઝબાને ‘સમાચાર’ નામનું છાપાખાનું મુંબઈમાં કાઢ્યું ને તેમાંથી ‘મુંબઇ સમાચાર’નું પંચાંગ જે આજે નીકળે છે તેનો પ્રારંભ સં. ૧૮૭૦ માં થયો. સં. ૧૮૭૮માં ‘મુંબઈ સમાચાર’ એ નામનું વારિક પત્ર તેમાંથી કાઢવામાં આવ્યું. આ રીતે નાગરી અને ગુજરાતી બીબાંનો ઉત્પાદક અનુક્રમે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy