SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૯૬ થી ૭૯૯ આ. હીરસુરિને અકબરની ભેટ જ્ઞાન ભંડાર ૩૫૯ તેમ ઇચ્છડ્યું. બંનેની અત્યંત વિજ્ઞપ્તિથી સૂરિએ તે ગ્રહણ કરવાનું સ્વીકાર્યું. ઉક્ત પુસ્તકો માટે કોશભંડાર સ્થાપી તેને થાનસિંહની અધીનતામાં રાખ્યો. પછી આગ્રામાં જઈ ચોમાસું ગાળ્યું. (સં. ૧૬૩૯) ૭૯૮. ત્યાર પછી ત્યાંથી યમુનાને હોડીથી ઓળંગી (માગસર માસમાં) શૌરીપુર કે જે નેમિનાથની જન્મભૂમિ ત્યાં જઈ બે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી આગ્રા પુનઃ આવી ત્યાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પછી ફત્તેપુર સીકરી જઈ શેખ અબલ ફૅજે બોલાવતાં તેને ત્યાં ગયા. ૭૯૯. બાદશાહે ત્યાં આવી અશ્વ હાથી વગેરેની ભેટ લેવા જણાવ્યું, પણ પોતે નિસ્પૃહ જૈનમુનિ હોઇ સ્વીકારી ન જ શકે તેમ આચાર્ય ઉત્તર આપતાં કંઈક ભેટતો સ્વીકારો જ એવો આગ્રહ કર્યો. આચાર્ય બંદિવાનોને કેદમાંથી મુક્ત કરવા, અને પિંજરમાં પૂરેલાં પક્ષીઓને છોડી મૂકવા કહ્યું. પોતા માટે કંઈ માગવાનું કહેતાં અમારા પર્યુષણના આઠ દિન હિંસા ન થાય એમ કરવા જણાવ્યું. બાદશાહે તેમાં પોતાના પુણ્યાર્થે ચાર દિન ઉમેરી બાર દિવસ સમસ્ત રાજ્યમાં “અમારિ પ્રવર્તે એમ પોતાની સહી અને મહોરવાળાં છ ફરમાન લખી આપ્યાં. ૧ લું ગૂર્જર અને સૌરાષ્ટ્ર મંડલ માટે, રજું ફતેપુર રાજધાનીવાળું મેવાતમંડલ (જેમાં દિલ્લીની પાસેનો ભાગ અંતર્ગત હતો) માટે, ૩જું અજમેરૂ દેશ (જેમાં મરુસ્થલી નાગોરાદિ દેશ સમાતા) માટે, ૪થું માલવમંડલ-અવન્તિદેશ (જેમાં દક્ષિણનો સર્વભાગ આવી જતો હતો) માટે, પમું લાભપુર (લાહોર) દેશવાળા પંજાપ (પંજાબ) મંડળ માટે, ૬ઠું સૂરિ પાસે રાખવા માટે. પછી શાંતિચંદ્ર ગણિએ (ફત્તેપુર સીક્રીપાસેના) ડામરતળાવનાં માછલાં વિનતિ કરતા હોય નહિ એવા શ્લોકો કહેવાથી તે આખું તળાવ હીરવિજયસૂરિને અર્પણ કર્યું એટલે ત્યાં માછલાંનો થતો વધ બંધ કર્યો. વળી હવેથી કદિપણ શિકાર નહિ કરું એવી શાહે પ્રતિજ્ઞા લીધી.૪૮૯ સર્વ પશુપ્રાણિ મારા રાજ્યમાં મારી સમાન સુખપૂર્વક રહે એવું કરીશ એમ જણાવ્યું. નવરોજ નામના પર્વને દિને “અમારિનું પ્રદાન કર્યું. તે અવસરે હીરવિજયસૂરિને “જગદ્ગુરુ” એ નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૬૪૦). આ વખતે બંદીવાનોને છોડી મૂકયા; સૂરિસચિવ ધનવિજયને સાથે લઈ જઈ ડામર બીજા પદ્મસુંદર દિગંબર સંપ્રદાયમાં ભટ્ટારક થયેલ છે, કે જેઓ આનંદમેરૂ શિ. પામેરૂના શિષ્ય હતા અને જેમણે સં. ૧૬૧૫ (શર કલાર્થાત્ તર્કલ્પ)માં રાયમલ્લાભુદયકાવ્ય (પી. ૩, ૨૫૫) રચ્યું ને તેમાં ઋષભાદિ ૨૪ તીર્થકરના ચરિત છે અને રાયમલ નામના સુચરિત શ્રાવકના નામ ઉપરથી તે કાવ્યનું નામ આપ્યું છે, તેમાં દિગંબર આચાર્યો પછી પોતાની ગુરુપરંપરાનો ક્રમ આપ્યો છે તે દિગંબર લાગે છે; પરંતુ પોતાના ઉક્ત ગુરુ પ્રગુરુનાં નામ આપી પદ્મસુંદરે રચેલો પ્રમાણસુંદર નામનો ગ્રંથ રચ્યો છે. (કા. વડો {પ્ર. લા.દ.વિ.મં. જૈનદાર્શનિક પ્ર.સં. અંતર્ગત, સં. નગીન શાહ }) તેમાં “Tછે શ્રીમરપાર'- “તપાગચ્છમાં એમ પણ જોવાય છે ને આપેલો રચ્યા સંવત નનનધીત્યુ (૧૭૩૨ ? ૧૪૩૨ ?) બંધ બેસતો નથી. જલધિને ૭, કે ૪ ને બદલે ૬ લેવામાં આવે તો ૧૬૩૨ બંધ બેસે. સં. ૧૬૨૨માં લખાયેલ પદ્મસુંદરકૃત પાર્શ્વનાથ કાવ્ય (ઓસ્ટ્રેકટ કે. ટે. પૃ. ૩૯૨; બો. નં. ૧૪૦૩) લબ્ધ છે કે જેમાં ઉક્ત રાયમલ્લાન્યુદય પ્રમાણે જ પોતાના ગુરુઓનો ક્રમ આપ્યો છે. એક પાસુંદરકૃત પ્રાકૃતમાં જંબૂસ્વામી કથાનક મળે છે (વેબર ૨, ૧૦૧૬; ખેડા ભે). વળી પદ્મસુંદરકૃત ભારતી-સ્તવનો ઉલ્લેખ હીરસૌભાગ્ય ટીકામાં (૧૪,૩૦૨) આવે છે. ૪૮૯, અકબરની કહેવતો - વક્તવ્યો આઇને અકબરી પુ. ૩, ૫, પૃ. ૩૩૦-૪૦૦ માં મૂકી છે. તેમાંની નીચેની પણ છે :- “રાજ્યનો નિયમાનુકુલ યદ્યપિ શિકાર ખેલવો બુરો નથી તથાપિ પહેલાં જીવરક્ષાનો ખ્યાલ રાખવો ઘણો જ આવશ્યક છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy