SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૫૬ પ્રસ્થાન કર્યું, આગળ બાદશાહના દૂતો-મેવાડા મોંદી અને કમાલ ચાલતા હતા. વિશ્વલપુર (વીસલપુર), મહીશાનક (મહેસાણા) આદિને વટાવી પાટણ, વડલી, સિદ્ધપુર ને ત્યાંથી શિરોત્તરા (સરોત્તર-સરોત્રા) આવ્યા, કે જ્યાં ભિલ્લોના મુખી અર્જુન (સહસાઅર્જુન) પોતાને ત્યાં લઈ જઈ તેમનો ઉપદેશ પામ્યો એટલે તેણે તથા બીજા ભિલોએ અહિંસા આદિ નિયમો લીધા. (ત્યાં પર્યુષણ કર્યા) પછી આબુપરનાં દહેરાંમાં દર્શન કરી શિવપુરી (શીરોહી) આવ્યા. ત્યાંના દેવડા રાજા સુરત્રાણે (જુઓ આઇની અકબરી ભાગ ૧ પૃ. ૩૫૭, ૪૧૯) ધામધૂમથી સામૈયું કર્યું. (જગદ્ગુરુ કાવ્ય શ્લોક ૧૫૨-૩). ત્યાંથી સાદડી જઇ રાણકપુર જાત્રા કરી આઉઆથી મેદિનીપુર (મેડતા) પધાર્યા. મેડતામાં મ્લેચ્છો રહેતા હોવાથી તે “મક્કા' કહેવાતું. ત્યાંના સાદિમ સુલતાને બહુમાન કર્યું; ફલવર્ધિ (ફલોધી) પાર્શ્વનાથને વંદન કર્યા. સિદ્ધપુરથી અગાઉ આગળથી આવેલ વિમલહર્ષ ઉપાધ્યાય મેડતામાં મળ્યા તેમને અગાઉથી અકબર બાદશાહ પાસે મોકલ્યા. સીહવિમલને ઉપાધ્યાય પદ આપ્યું. પછી સાંગાનેર આવ્યા. ૭૫. વિમલહર્ષ અગાઉથી જઈ અકબર બાદશાહને મળી સૂરિના પ્રયાણ અને આવવા સંબંધી જાણ કરી. બાદશાહની આજ્ઞાથી સ્થાનસિંહ આદિ સંઘજનો સામા જઇ અભિરામાબાદ થઈ આવેલા સૂરિને વાજતે ગાજતે ફતેપુર સીકરી લઇ આવ્યા; ને ત્યાં જગન્મલ્લ કચ્છવાહ (જયપુરના રાજા બિહારીમલ્લના નાનાભાઇ)ના મહેલમાં વાસો કર્યો. [સં. ૧૬૩૯ જેઠ વદિ ૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy