SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આપ્યા. પછી આ શાહજાદો સં. ૧૫૮૩માં બહાદુરશાહ એ નામધારી અમદાવાદની ગાદી પર બેઠો. ૭૩૫. પછી કર્માશાહ બાદશાહે મળવા આવતાં તેને બહુમાન મળ્યું. ત્યાં રહેલા સોમધીરગણિનો ઉપદેશ સાંભળવા લાગ્યા. અગાઉનાં આપેલાં નાણાં બાદશાહે પાછાં આપ્યાં તે “બીજું કંઈ શું કરું? કંઈપણ સ્વીકારો” એમ કહેતાં કર્માશાહે કહ્યું કે શત્રુંજય પર મારી કુલદેવીની સ્થાપના કરવા ચાહું છું. તો આપે અગાઉ આપેલ વચન યાદ કરી તેમ કરવા આજ્ઞા આપો. બાદશાહે તે સ્વીકારી કોઇપણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્માશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા દરેક જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતા, દરેક ઉપાશ્રયમાં સાધુનાં દર્શન કરી વસ્ત્ર-પાત્રાદિનું દાન કરતા, દરિદ્ર લોકને યથાયોગ્ય દ્રવ્ય સહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુક્ત કરતા કર્માશાહ સ્તંભતીર્થ (ખંભાત) પહોંચ્યા. ત્યાં વિનયમંડન પાઠકને વંદન કર્યું. પાંચ છ દિનમાં શત્રુંજયગિરિ દેખાયો ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી તલેટીમાં સંઘ પહોંચ્યો. આ વખતે સૌરાષ્ટ્રનો સૂબો મયાદખાન (મુઝાહિદખાન) હતો તે આથી મનમાં બળતો હતો. છતાં બહાદુરશાહનું ફર્માન એટલે કંઈ વિરૂદ્ધ કરી ન શકયો. ગૂર્જરવંશના રવિરાજ અને નૃસિંહે (કે જે બંને તે સૂબાના મંત્રી હતા) કર્માસાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી વિનયમંડન પાઠક પણ સાધુ-સાધ્વીનો પરિવાર લઈ આવી પહોંચ્યા. મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણી ખાણના પાષાણખંડો ભૂમિગૃહમાંથી કઢાવી તેની પ્રતિમા વાસ્તુશાસ્ત્રમાં વિદ્વાન્ વાચક વિવેકમંડન અને પંડિત વિવેકબીરની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંઘોને આમંત્રણ મોકલી બોલાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગૂજરાતની ગણનાએ ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્યપટ્ટધર વિદ્યામંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજયની ખંડિત પ્રતિમાનો ઉદ્ધાર કર્માસાહે કર્યો અને તેની પ્રશસ્તિ ઉક્ત સૂરિના શિષ્ય વિવેકધીરે બનાવી; અને તે ઉપરાંત તેમણે તે સંબંધી શત્રુંજય શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ સંસ્કૃતમાં રચ્યો.૪૭૩ ૪૭૩. આ કર્માશાહ અને તેમના ઉદ્ધાર સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રી જિનવિજય સંપાદિત તે પ્રબંધ (પ્ર. કાં. જૈન ઇતિહાસમાલા તૃતીય પુષ્ય. પ્ર. આ. સભા ભાવનગર), તથા શિલાલેખ જિ. ૨ નં. ૧ થી ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy